Downtrodden

કર્ણાટકના કોપ્પલ જિલ્લામાં દલિતો પર અત્યાચાર બદલ ૧૦૧ લોકોને આજીવન કેદ

(એજન્સી) બેંગલુરૂ, તા.૨૫
કોપ્પલ જિલ્લાની અદાલતે દલિત સમુદાયની ઝૂંપડીઓને આગ લગાડવા બદલ ૧૦૧ જેટલા લોકોને આજીવન કેદની સજા ફટકારી હતી. આ ચુકાદો દુર્લભ છે કારણ કે એક સમયે આટલા બધા આરોપીઓને આજીવન કેદની સજા કરવામાં આવી હતી. ઘણાં પીડિત પરિવારના સભ્યો છેલ્લાં દસ વર્ષથી આ નિર્ણયની રાહ જોઈ રહ્યા છે. આરોપીઓને તાજેતરમાં જ દોષી ઠેરવવામાં આવ્યા હતા અને કોર્ટ દ્વારા ૨૪ ઓક્ટોબર, ગુરૂવારના રોજ સજાની ઘોષણા કરવામાં આવી હતી. જ્યારે કોર્ટના નિર્ણયની ઘોષણા કરવામાં આવી ત્યારે, દોષિતોના સંબંધીઓ અને પરિવારના સભ્યોએ દુઃખમાં રૂદન કરી રહ્યા હતા, જ્યારે પીડિત પરિવારના સભ્યોએ રાહતનો શ્વાસ લીધો. આ મામલો ૨૮ ઓગસ્ટ ૨૦૧૪ના રોજ ગંગાવતી તાલુકાના મારકુમ્બી ગામમાં જાતિ આધારિત હિંસા સાથે સંબંધિત છે. આરોપીઓએ દલિત સમુદાયના આવાસોને આગ લગાવી દીધી હતી. સરકારી વકીલે જણાવ્યું હતું કે, ૧૧૭ લોકો સામે કેસ નોંધવામાં આવ્યો હતો, જેમાંથી ૧૦૧ને સજા કરવામાં આવી હતી, જ્યારે ૧૬ આરોપીઓ મૃત્યુ પામ્યા હતા.

Related posts
Downtrodden

કેરળમાં ૧૮ વર્ષની દલિત યુવતી પર પાંચ વર્ષમાં ૬૪ લોકોએ દુષ્કર્મ આચર્યું

બાળ કલ્યાણ સમિતિ સમક્ષ યુવતીએ પોતાન…
Read more
Downtrodden

કેરળમાં ૧૮ વર્ષની દલિત યુવતી પર પાંચ વર્ષમાં ૬૪ લોકોએ દુષ્કર્મ આચર્યું

બાળ કલ્યાણ સમિતિ સમક્ષ યુવતીએ પોતાન…
Read more
Downtrodden

કેરળમાં ૧૮ વર્ષની દલિત યુવતી પર પાંચ વર્ષમાં ૬૪ લોકોએ દુષ્કર્મ આચર્યું

બાળ કલ્યાણ સમિતિ સમક્ષ યુવતીએ પોતાન…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.