Downtrodden

કોંગ્રેસ નેતા અજય કુમાર : ભાજપ જાતિની વસ્તી ગણતરીનો વિરોધ કરે છે કારણ કે પાર્ટી દલિત વિરોધી છે

(એજન્સી) નવી દિલ્હી, તા.૨૪
બીઆર આંબેડકર પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ટિપ્પણી પર ચાલી રહેલા વિરોધ વચ્ચે, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અજય કુમારે આરોપ લગાવ્યો કે, ભાજપ, જે મનુસ્મૃતિના સિદ્ધાંતોનું પાલન કરે છે, તેણે હંમેશા દલિતોનું અપમાન કર્યું છે. રવિવારે અહીં જારી કરાયેલા એક નિવેદનમાં,AICC કારોબારી સમિતિના સભ્યએ કહ્યું કે, રાજ્યસભામાં શાહની ટિપ્પણીએ ભાજપનું સાચું ચરિત્ર છતું કર્યું, જે મનુસ્મૃતિને અનુસરે છે. કુમારે આરોપ લગાવ્યો કે, ભાજપના નેતાઓની માનસિકતા હંમેશા દલિત વિરોધી રહી છે, જે ઘણીવાર તેમના નિવેદનોમાં, જાણી જોઈને અથવા અજાણતાં પ્રતિબિંબિત થાય છે. ઓડિશા, તમિલનાડુ અને પુડુચેરીના AICC પ્રભારી કુમારે દાવો કર્યો હતો કે, આંબેડકર પર શાહની ટિપ્પણી માત્ર તેમનું જ નહીં પરંતુ દેશના કરોડો દલિતોનું પણ અપમાન છે જેઓ તેમને ભગવાન માને છે. કોંગ્રેસના નેતાએ આક્ષેપ કર્યો હતો કે, ભાજપ તેના દલિત વિરોધી દૃષ્ટિકોણને કારણે જાતિ આધારિત વસ્તી ગણતરીની વિરૂદ્ધ છે. તાજેતરની ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં જમશેદપુર પૂર્વ બેઠક ભાજપના પૂર્ણિમા દાસ સાહુ સામે હારી ગયેલા કુમારે દાવો કર્યો હતો, આ પ્રથમ વખત નથી કે ભાજપનું દલિત વિરોધી પાત્ર સામે આવ્યું છે, આવા ઘણા ઉદાહરણો છે. તે મહાત્મા ગાંધી અને નહેરૂની કોંગ્રેસ હતી જેણે હંમેશા દલિતોને સન્માન આપ્યું હતું. તેમણે માંગ કરી હતી કે શાહ જાહેરમાં દેશની માફી માંગે. શાહે ગયા અઠવાડિયે રાજ્યસભામાં બંધારણ પરની ચર્ચા દરમિયાન કહ્યું હતું કે, તે હવે એક ફેશન બની ગઈ છે, આંબેડકર, આંબેડકર, આંબેડકર, આંબેડકર. જો તેેમણે ભગવાનનું

Related posts
Downtrodden

કેરળમાં ૧૮ વર્ષની દલિત યુવતી પર પાંચ વર્ષમાં ૬૪ લોકોએ દુષ્કર્મ આચર્યું

બાળ કલ્યાણ સમિતિ સમક્ષ યુવતીએ પોતાન…
Read more
Downtrodden

કેરળમાં ૧૮ વર્ષની દલિત યુવતી પર પાંચ વર્ષમાં ૬૪ લોકોએ દુષ્કર્મ આચર્યું

બાળ કલ્યાણ સમિતિ સમક્ષ યુવતીએ પોતાન…
Read more
Downtrodden

કેરળમાં ૧૮ વર્ષની દલિત યુવતી પર પાંચ વર્ષમાં ૬૪ લોકોએ દુષ્કર્મ આચર્યું

બાળ કલ્યાણ સમિતિ સમક્ષ યુવતીએ પોતાન…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.