Ahmedabad

કોરોના મહામારીને લઈ શૈક્ષણિક કાર્ય પર અસર પડી હોઈ મુખ્યમંત્રીને રજૂઆત રાજ્યમાં ધો.૧૦ બોર્ડ અને યુનિવર્સિટીના છાત્રો માટે આંતરિક ગુણ વધારવા માંગ

 

(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.૧૧
કોરોના મહામારીમાં શાળા-કોલેજો બંધ રહેતા વિદ્યાર્થીઓેના શિક્ષણ ઉપર અસર થઈ હોઈ ચાલુ વર્ષના અંતે તેઓના શૈક્ષણિક પ્રદર્શન સામે સવાલો ઊભો થઈ રહ્યા છે. ત્યારે હવે ધો.૧૦ના બોર્ડના વિદ્યાર્થીઓ તથા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે આંતરિક ગુણ ૨૦થી વધારી ૩૦ કરવા બાબતે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે. અમદાવાદ રાજ્ય શાળા સંચાલક મંડળ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખીને ઈન્ટરનલ માર્ક્‌સ ૨૦થી વધારીને ૩૦ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે. પત્રમાં જણાવ્યું છે કે, રાજ્યમાં કોરોના વાયરસના કહેરના પગલે આગામી બે વર્ષ સુધી ધોરણ-૧૦ની પરીક્ષામાં ઈન્ટરનલ માર્ક્‌સ ૨૦થી વધારીને ૩૦ કરવામાં આવે. એટલું જ નહીં, યુનિવર્સિટીની પરીક્ષાઓમાં પણ આ જ પદ્ધતિથી ઈન્ટરનલ માર્ક્‌સ અપાતા હોય તો ત્યાં પણ તેનો અમલ કરવા રજૂઆત કરવામાં આવી છે. રાજ્યમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન અને અન્ય બોર્ડની જેમ ધોરણ-૧૦ની બોર્ડની પરીક્ષા પદ્ધતિમાં ૨૦ ગુણ શાળા કક્ષાએ ઈન્ટરનલ માર્ક્‌સ રાખવામાં આવ્યા છે. માર્ચ ૨૦૨૦માં કોરોનાના મહામારી દરમિયાન બોર્ડની પરીક્ષા લેવાઈ હતી. આ પરીક્ષાઓના પરિણામ પણ ખાસ સંતોષકારક નહોતા. પરિણામ ઘટવાને કારણે ગ્રાન્ટેડ શાળાઓની નિભાવ ગ્રાન્ટને પણ સીધી અસર થઈ હતી. ગત માર્ચથી બંધ કરાયેલી શાળાએ આજથી શરૂ થઈ ગઈ છે. બોર્ડ દ્વારા અગાઉથી ધોરણ ૯-૧૨ના અભ્યાસક્રમમાં ૩૦ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. મે ૨૦૨૧માં યોજાનારી બોર્ડની પરીક્ષા આ અભ્યાસક્રમ મુજબ જ લેવામાં આવશે. ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને રજૂઆત કરી છે કે, ૨૦૨૧-૨૦૨૨ના વર્ષમાં લેવાનારી બોર્ડની પરીક્ષામાં કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શાળાકક્ષાએ ૨૦ ગુણના બદલે ૩૦ ગુણ આંતરિક મૂલ્યાંકન માટે ફાળવવામાં આવે તો રાજ્યના વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ શિક્ષણ જગત માટે આશીર્વાદ સમાન હોઈ શકે છે. એટલું જ નહીં, રાજ્યની તમામ યુનિવર્સિટીઓમાં પણ સ્નાતક કક્ષાએ અને અનુસ્નાતક કક્ષાએ રેગ્યુલર વિદ્યાર્થીઓ માટે ૩૦ ગુણ આંતરિક મૂલ્યાંકન અને ૭૦ ગુણની યુનિવર્સિટીની પરીક્ષા ગણવામાં આવે છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
AhmedabadNational

રતન તાતાના મૃત્યુના સમાચારથી મુંબઈ, અમદાવાદમાંગરબા કાર્યક્રમો અટકાવી દેવાયા હતા

(એજન્સી) તા.૧૦દિગ્ગજ ઉદ્યોગપતિ રતન…
Read more
AhmedabadCrime

બાળકોના રમકડાંમાં નશાના સામાનની ડિલિવરી ધો.૧૦-૧રના છાત્રો મંગાવતા હોવાનો ઘટસ્ફોટ !

અમેરિકાથી અમદાવાદ આવેલ પાર્સલોમાં…
Read more
AhmedabadGujarat

વૃક્ષો જ નહીં હોય ત્યાં તીવ્ર ગરમીમાં ક્યાં જઈશું ?

રાજ્યમાં હાલ તીવ્ર ગરમીનો માહોલ છે.
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.