Politics

કોલકાતાના ડૉક્ટરનું મૃત્યુ : પરિવાર ઈચ્છે તો તપાસ સ્વતંત્રએજન્સીને સોંપી શકાય : પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનરજી 3

આરોપીને ફાંસી આપવામાં આવશે’ : મમતા બેનરજીનું કોલકાતાના ટ્રેઇની ડૉક્ટરની હત્યા મુદ્દે બયાન

(એજન્સી) તા.૧૦
૯ ઓગસ્ટના રોજ કોલકાતાની આર.જી. કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ૩૧ વર્ષીય મહિલા ડૉક્ટર મૃત હાલતમાં મળી આવી હતી. પોસ્ટમોર્ટમમાં પીડિતા પર જાતીય હુમલાની પુષ્ટિ થઈ છે.
કોલકાતાની આર.જી.કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ડોક્ટર પર કથિત બળાત્કાર અને હત્યાના મામલે પશ્ચિમ બંગાળની મેડિકલ કોલેજોમાં વિરોધ ફાટી નીકળ્યો હતો, મુખ્યમંત્રી મમતા બેનરજીએ શનિવારે (૧૦ ઓગસ્ટ, ૨૦૨૪) કહ્યું હતું કે જો પરિવાર માંગે તો સ્વતંત્ર એજન્સીને તેમને તપાસ સોંપવામાં કોઈ ખચકાટ નથી.
એક બંગાળી ટેલિવિઝન ન્યૂઝ ચેનલ સાથે વાત કરતાં, મુખ્ય પ્રધાને કહ્યું કે જો પરિવાર ઇચ્છે તો તે અન્ય એજન્સીને તપાસ સોંપશે. સુશ્રી બેનરજીએ એમ પણ ઉમેર્યું હતું કે આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટ દ્વારા ચલાવવામાં આવે.
શુક્રવારે સવારે (૯ ઓગસ્ટ, ૨૦૨૪) આર.જી. કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં એક ૩૧ વર્ષીય મહિલા ડૉક્ટર મૃત હાલતમાં મળી આવી હતી. પોસ્ટ ગ્રેજ્યુએટ તાલીમાર્થી ડૉક્ટર, રાત્રિની પાળી પર હતા અને લગભગ ૨ વાગ્યે આરોગ્ય સુવિધાના સેમિનાર રૂમમાં આરામ કરી રહ્યા હતા.
કોલકાતા પોલીસ કમિશનર વિનીત કુમાર ગોયલે કહ્યું કે પીડિતાના શરીર પર જાતીય હુમલાના નિશાન છે. “બળાત્કાર અને હત્યાના આરોપ હેઠળ કેસ શરૂ કરવામાં આવ્યો છે,” શ્રી ગોયલે કહ્યું. કમિશનરે કહ્યું, “જો પરિવાર તરફથી કોઈ માગણી છે કે તપાસ સ્વતંત્ર એજન્સીને સોંપવામાં આવે, તો અમને કોઈ વાંધો નથી,” કોલકાતા પોલીસ પારદર્શક રીતે તપાસ કરી રહી છે. પોલીસે આ ગુનામાં એક વ્યક્તિની ધરપકડ કરી છે. બીજો મુદ્દો જે સામે આવ્યો છે તે એ છે કે આરોપી કોલકાતા પોલીસ દ્વારા નાગરિક પોલીસ સ્વયંસેવક તરીકે નિમાયેલ હોઈ શકે છે. જ્યારે આરોપીની જોબ પ્રોફાઇલ વિશે પૂછવામાં આવ્યું ત્યારે, શ્રી ગોયલે કહ્યું, “અમારા માટે તે સર્વોચ્ચ ગુનાનો ગુનેગાર છે અને અમે તેને સૌથી વધુ સજા ઇચ્છીએ છીએ”.
તેમણે ઉમેર્યું હતું કે, હોસ્પિટલમાં સીસીટીવી કેમેરાએ હોસ્પિટલમાં તેની હાજરીની પુષ્ટિ કરી છે અને આરોપીને આવા વિચિત્ર સમયે ગુનાના સ્થળે હોવાની કોઈ જરૂર નહોતી. મૃતક ડોક્ટરના પરિવારજનોએ કહ્યું હતું કે હોસ્પિટલ તેમની પુત્રીને સુરક્ષા આપવામાં અસમર્થ રહી છે.

Related posts
NationalPolitics

કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તન ? ઝઘડતા નેતાઓ પર લગામ લગાવતી કોંગ્રેસની ટોચની નેતાગીરી

શાસક કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તન થઈ…
Read more
Politics

કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તન ? ઝઘડતા નેતાઓ પર લગામ લગાવતી કોંગ્રેસની ટોચની નેતાગીરી

શાસક કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તન થઈ…
Read more
NationalPolitics

અરવિંદ કેજરીવાલ ૪૮ કલાકની અંદર દિલ્હીના મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપશે : સુપ્રીમ કોર્ટના પ્રતિબંધો અને કોર્ટનીલાંબી લડાઈ અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, મારૂં ભાગ્ય મતદારોના હાથમાં છે, દિલ્હીમાં વહેલી ચૂંટણીની હાકલ કરી

કેજરીવાલે કહ્યું છે કે, દિલ્હીમાં…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *