Gujarat

જામનગરમાં મહિલા PSIના ૫તિએ ગળેફાંસો ખાધો

જામનગર, તા.૪
જામનગરના સરૂસેક્શન રોડ પર આવેલા નવા આવાસમાં રહેતા એક મહિલા પીએસઆઈના પતિએ ગઈકાલે અગમ્ય કારણસર ગળાફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી છે.
જામનગરના સરૂસેક્શન રોડ પર આવેલા નવા આવાસની એ-૪ વિંગમાં પાંચમાં મજલે વસવાટ કરતા નિર્મળસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.૩૫) નામના ગરાસિયા યુવાનના નાનાભાઈના ગઈકાલે જામનગરમાં રાજપૂત સમાજના યોજાયેલા સમૂહલગ્નમાં લગ્ન નિર્ધારવામાં આવ્યા હતા. જેમાં ભાગ લેવા માટે નિર્મળસિંહ તેમજ તેમના પત્ની કલ્પનાબા જાડેજા કે જેઓ ખંભાળિયા શહેર પોલીસ સ્ટેશનમાં પીએસઆઈની ફરજ બજાવે છે તેઓ તેમજ અન્ય પરિવારજનો હાજર હતા.
ધામધૂમપૂર્વક લગ્ન સંપન્ન થયા પછી નવદંપતીની છેડાછેડી છોડવા સહિતની વિધિઓ માટે જાડેજા પરિવાર હસીખુશીથી ભાગ લઈ રહ્યો હતો તે દરમ્યાન પોતાના ઘેર આવાસમાં પહોંચેલા નિર્મળસિંહએ અંદાજે રાત્રે આઠેક વાગ્યે ઓરડામાં રહેલા પંખામાં દોરી વડે ગળાફાંસો ખાઈ લીધો હતો.
જામનગર તાલુકાનું નાઘુના ગામમાં રહેતા દશરથસિંહ દીપસિંહ દેદા (ઉ.વ.૨૪) નામના ગરાસિયા યુવાને આઠેક મહિના પહેલાં જામનગરના રામેશ્વરનગર વિસ્તાર પાછળ આવેલા વિનાયક પાર્ક નજીક રહેતા સેજલબા (ઉ.વ.૨૦) સાથે પ્રેમલગ્ન કર્યા હતાં. આ સંબંધથી સેજલબાના પરિવારજનો નારાજ થયા હતા. તે પછી સપ્તાહમાં પણ સેજલબાના બીજા ભાઈના લગ્ન નક્કી કરવામાં આવ્યા હતા. તેમાં આવવા માટે સેજલબાને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. આ બાબતે સેજલબાને માઠુ લાગી આવ્યું હતું. તેથી તેઓએ શનિવારે રાત્રે પોતાના ઘેર નાઘુનામાં ગળાફાંસો ખાઈ લીધો હતો.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
GujaratHarmony

કોમી એકતા અને ભાઈચારાને ઉજાગર કરતી ઘટનાસુરેન્દ્રનગરમાં હિન્દુ પરિવારે મુસ્લિમ યુવતીનો ઉછેર કરી ધામધૂમથી નિકાહ કરાવ્યા

સુહાના એક મહિનાની હતી ત્યારે તેણે…
Read more
Gujarat

ભાજપના પૂર્વ કેબિનેટ મંત્રી ચાવડાનો સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ઈશારો : વીડિયો વાયરલ

ગુજરાત ભાજપમાં ફરી એકવાર નવા-જૂન…
Read more
Crime DiaryGujarat

રાજકોટનો ગેમઝોન ભયંકર આગમાં બન્યો મોતનો ઝોન : ર૮નાં કરૂણ મોત

માત્ર એક કલાકમાં જ ર૪ જેટલા મૃતદેહો…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.