દિલ્હીના મુખર્જી નગરમાં આવેલી એક લાઇબ્રેરી એ જ સ્થળ છે જ્યાં મોહમ્મદ મિનાઝ અભ્યાસ કરે છે, સૂવે છે અનેUPSC પરીક્ષાની તૈયારી કરે છે, બિહારના વતની એવા મિનાઝ પોતાની રાતો ખુરશી પર વિતાવે છે; તેઓ સિવિલ સર્વન્ટ બનવા અને વૃદ્ધ માતા-પિતાને આર્થિક ટેકો આપવા માટે દૃઢ સંકલ્પબદ્ધ છે, તેમણે ‘ધ લલ્લનટોપ’ (The Lallantop) સાથેની મુલાકાતમાં પોતાની આ સફર વિશે વાત કરી હતી
(એજન્સી) તા.૧૪
કેટલાક સપનાઓ માટે માત્ર સખત મહેનત પૂરતી નથી હોતી. તેના માટે ધીરજ, ત્યાગ અને આગળ વધતા રહેવાની હિંમતની જરૂર હોય છે. ‘ધ લલ્લનટોપ’ સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે, સિવિલ સર્વન્ટ બનવાની તેમની સફર આર્થિક મુશ્કેલીઓ, પારિવારિક જવાબદારીઓ અને એવા મુશ્કેલ નિર્ણયો વચ્ચે ઘડાઈ છે જેમણે તેમના મક્કમ નિર્ધારની કસોટી કરી છે. દરરોજ સવારે મિનાઝ એ જ ખુરશી, એ જ પુસ્તકો અને એ જ લક્ષ્ય તરફ પાછા ફરે છે. દિલ્હીના મુખર્જી નગરમાં આવેલી ૨૪ કલાક ખુલ્લી રહેતી લાઈબ્રેરીમાં તેઓUPSC પરીક્ષાની તૈયારી કરે છે. આ જ લાઈબ્રેરી તેમનું સૂવાનું સ્થળ પણ છે. મિનાઝ માટે સ્નાન કરવા જેવી સામાન્ય બાબત માટે પણ લગભગ ૧૦ કિલોમીટરની મુસાફરી કરવી પડે છે. તેઓ ‘મજનૂ કા ટીલા’ જાય છે, જ્યાં તેઓ ગુરૂદ્વારામાં ભોજન પણ લે છે. મિનાઝUPSC પરીક્ષા પાસ કરવાના મક્કમ નિર્ધાર સાથે બિહારના દરભંગાથી દિલ્હી આવ્યા હતા. પરિવાર તરફથી મર્યાદિત આર્થિક સહાય અને રહેઠાણ માટે પૈસાના અભાવને કારણે ૨૪ કલાક ખુલ્લી રહેતી આ લાઈબ્રેરી તેમના અભ્યાસનું સ્થળ અને આશ્રયસ્થાન – એમ બંને બની ગઈ છે. તેઓ દિવસ દરમિયાન અભ્યાસ કરે છે અને રાત્રે ખુરશી પર સૂએ છે; તેમના કપડાં અને સામાન એક લોકરમાં રાખેલા હોય છે. તેમના માતા-પિતા, જેઓ લગભગ ૭૫ વર્ષના છે, તેઓ જાણે છે કે, મિનાઝ દિલ્હીમાં તૈયારી કરી રહ્યા છે પરંતુ તેમને એ વાતની જાણ નથી કે તેઓ લાઈબ્રેરીમાં સૂવે છે અથવા ક્યારેક દિવસમાં માત્ર એક જ વાર ભોજન લે છે. તેઓ માતા-પિતાને આ વાત જણાવતા નથી. તેઓ ઈચ્છે છે કે, માતા-પિતા ઓછી ચિંતા કરે અને સૌથી મહત્ત્વનું એ કે, તેઓ મિનાઝને સફળ થતાં જોવા માટે લાંબુ આયુષ્ય ભોગવે. મુખર્જી નગર એ ેંઁજીઝ્રની તૈયારી માટે દિલ્હીના સૌથી જાણીતા કેન્દ્રોમાંનું એક છે, જ્યાં દર વર્ષે દેશભરમાંથી હજારો ઉમેદવારો આવે છે. ઘણા ઉમેદવારો ભાડાના રૂમ, ઁય્ (પેઈંગ ગેસ્ટ) અથવા હોસ્ટેલમાં રહેવાની વ્યવસ્થા કરી લે છે, જ્યારે અન્ય લોકો રહેવાની પાયાની સુવિધાઓ મેળવવા માટે પણ સંઘર્ષ કરે છે. મિનાઝ પણ તેવા જ લોકોમાંના એક છે. તેઓ લગભગ દોઢ વર્ષથીUPSCની તૈયારી કરી રહ્યા છે. જે ૨૪-કલાક ખુલ્લી રહેતી લાઈબ્રેરીમાં તે દિવસ દરમિયાન અભ્યાસ કરે છે, ત્યાં જ તે રાત્રે સૂઈ પણ જાય છે. તે લાઈબ્રેરી માટે મહિનાના લગભગ ૧૧૦૦થી ૧૨૦૦ રૂપિયા ચૂકવે છે અને આખો દિવસ તૈયારી કર્યા બાદ ખુરશી પર જ આરામ કરે છે. તેના કપડાં અને અન્ય સામાન લાઈબ્રેરીમાં આવેલા લોકરમાં રાખવામાં આવે છે. અભ્યાસ કરવાના સ્થળ તરીકે શરૂ થયેલી આ જગ્યા, મિનાઝ માટે ધીમે-ધીમે તેનું કામચલાઉ ઘર બની ગઈ છે. જ્યારે મિનાઝને સ્નાન કરવાની જરૂર હોય છે, ત્યારે તે લગભગ ૧૦ કિલોમીટર દૂર ‘મજનૂ કા ટીલા’ જાય છે; ત્યાં તે ગુરૂદ્વારામાં ભોજન પણ કરે છે અને પછી લાઈબ્રેરી પર પાછો ફરે છે. ત્યાં બપોરે અને ફરીથી રાત્રે લગભગ ૮ વાગ્યે ભોજન પીરસવામાં આવે છે પરંતુ મિનાઝ સામાન્ય રીતે દિવસમાં એક જ વાર જમે છે જેથી બે વાર આવવા-જવામાં થતો સમય અને મુસાફરીનો ખર્ચ બચાવી શકાય. આ મુસાફરીનો ખર્ચ તેને લગભગ ૨૦ રૂપિયા થાય છે. લાઈબ્રેરીની ફી અને અન્ય પાયાના ખર્ચાઓ સાથે મળીને, તે જણાવે છે કે, તે લગભગ ૩૦૦૦ રૂપિયામાં પોતાની માસિક જરૂરિયાતો પૂરી કરે છે. પરિવાર તરફથી બહુ ઓછી આર્થિક મદદ મળતી હોવાથી, મિનાઝ પોતાના પાયાના ખર્ચાઓ પૂરા કરવા માટે નાના-મોટા કામો પર નિર્ભર છે. તે કહે છે કે, તે એક એપ દ્વારા લોકોને બેંક ખાતા ખોલવામાં મદદ કરે છે, જેનાથી તેને પ્રતિ ખાતા દીઠ લગભગ ૩૦૦-૪૦૦ રૂપિયા અને મહિનાના આશરે ૩૦૦૦ રૂપિયાની કમાણી થાય છે. તેણે પૂર્ણ-સમયની નોકરી ન કરવાનું પસંદ કર્યું છે, કારણ કે, તેનું માનવું છે કે, કામના લાંબા કલાકો અને રોજિંદા આવાગમનને કારણેUPSCની તૈયારી માટે બહુ ઓછો સમય મળશે. હાલમાં મિનાઝનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર ગુજરાન ચાલે તેટલી કમાણી કરવાનો છે અને તે પોતાનો મોટાભાગનો સમય અભ્યાસમાં ફાળવે છે. મિનાઝનો પરિવાર બિહારમાં રહે છે. તેના માતા-પિતા ૭૦ વર્ષથી વધુ ઉંમરના છે અને તે કહે છે કે, તેના પિતાને ડાયાબિટીસ છે. પરિવારની આર્થિક સ્થિતિ પણ સારી નથી. તેનો મોટો ભાઈ નોકરી કરે છે અને ઘર ચલાવવામાં મદદ કરે છે. પરંતુ મિનાઝે તેના માતા-પિતાને એ નથી જણાવ્યું કે, તે દિલ્હીમાં વાસ્તવમાં કેવી રીતે જીવી રહ્યો છે. જ્યારે તે તેમની સાથે વાત કરે છે, ત્યારે તે કહે છે કે તે ઠીક છે અને સારી રીતે અભ્યાસ કરી રહ્યો છે. તે કહે છે કે તેને ડર છે કે, જો તેના માતા-પિતાને ખબર પડશે કે તે લાઈબ્રેરીમાં સૂઈ રહ્યો છે અને ઘણીવાર દિવસમાં માત્ર એક જ વાર જમે છે, તો તેઓ તેના વિશે ચિંતા કરવા લાગશે. તેમની ઉંમરે તે તેમની ચિંતાઓમાં વધારો કરવા માંગતો નથી. મિનાઝની ચાર બહેનો છે. તેમાંથી ત્રણ પરણિત છે, જ્યારે એક હજુ અભ્યાસ કરી રહી છે અને ઘરે બાળકોને ભણાવીને પોતાનો ખર્ચ કાઢવાનો પ્રયાસ કરે છે. પરિવાર પર દેવું પણ છે. મિનાઝ કહે છે કે, તે શક્ય તેટલી વહેલી તકે સફળ થવા માંગે છે જેથી તે તેના માતા-પિતાને આર્થિક ટેકો આપી શકે અને પોતાની બહેનને મદદ કરી શકે. પરંતુ તેની સૌથી મોટી ચિંતા તેના વૃદ્ધ માતા-પિતા છે. તે ઈચ્છે છે કે, તેઓ જીવિત હોય ત્યારે જ તેને સફળ થતો જુએ. મિનાઝ કહે છે કે, તેણે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવાની પોતાની પદ્ધતિ ધો.૧૦થી જ વિકસાવી હતી. તેનું માનવું છે કે, પરીક્ષાની તૈયારી માટે માત્ર પુસ્તકો વાંચવા પૂરતા નથી.