Religion

દલિતો પર અત્યાચાર મુદ્દે સેલજાના ભાજપ પર પ્રહાર

(એજન્સી)             ચંદીગઢ, તા.૪
AICC મહાસચિવ અને સિરસા સાંસદ કુમારી સેલજાએ  દલિતોના ‘દમન’ માટે કેન્દ્ર તેમજ રાજ્યમાં ભાજપ સંચાલિત સરકારની ટીકા કરી હતી. સેલજાએ કહ્યું કે હરિયાણા અને બીજેપી શાસિત અન્ય રાજ્યોમાં તાજેતરમાં દલિત મહિલાઓ પર બળાત્કારની ઘટનાઓ વધી છે, આ રાજ્યો દલિતો સામે અત્યાચારના આરોપીઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાનોમાં ફેરવાઈ ગયા છે. તેમણે કહ્યું,“અહીંના દલિત સમુદાય પાસે સંસાધનોનો અભાવ છે. દલિતો માટે ભારતીય બંધારણમાં સમાવિષ્ટ લોકતાંત્રિક અધિકારોનું અહીં કોઈ મહત્વ નથી,”. ઓડિશામાં, આદિવાસી મહિલાઓને ધર્માંતરણના નામે માર મારવામાં આવ્યો, અને મધ્ય પ્રદેશમાં, એક દલિત યુવક પોલીસ સ્ટેશનમાંથી જીવતો પાછો ન આવ્યો; બંને ઘટનાઓ ભાજપ શાસિત રાજ્યોમાં બની હતી. તેમણે કહ્યું કે હરિયાણામાં જાટ અને જાટ શીખ સમુદાયો, જે મતદારોના ૨૯ ટકા છે, તેના પછી દલિતો લગભગ ૨૨ ટકા મતદારો છે જે રાજ્યમાં બીજા નંબરની સૌથી મોટી મત બેંક છે.

Related posts
Religion

હઝરત હસન ઇબ્ન અલી (રદીઅલ્લાહુ અનહુ) (ઈસ આ.૬૨૫-૬૭૦)

ભાગ -૨ પ્રભાવી વ્યક્તિત્વ &#8211…
Read more
Religion

હઝરત હસન ઇબ્ન અલી (રદીઅલ્લાહુ અનહુ) (ઈસ આ.૬૨૫-૬૭૦)

ભાગ -૨ પ્રભાવી વ્યક્તિત્વ &#8211…
Read more
Religion

હઝરત ઇમામ હુસેન ઇબ્ન અલી (રદીઅલ્લાહુ  અનહુ) (ઈ.સ. આ.૬૨૬-૬૮૦) ભાગ -૩​​​​​​​

પ્રભાવી વ્યક્તિત્વ – મુહમ્મદ સઈદ…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *