National

દિલ્હી રમખાણો ધરપકડ કરવામાં આવેલા સિમ સેલ્સમેન ફેઝાનખાનના ષડયંત્રના કેસમાં જામીન મંજૂર

(એજન્સી)
નવી દિલ્હી,તા.ર૪
દિલ્હી હાઈકોર્ટે શુક્રવારે ૩પ વર્ષીય મોબાઈલ સિમ વિક્રેતા ફેઝાનખાનને જામીન આપી દીધા છે. જેની રમખાણોમાં હત્યા અને આતંકવાદ માટે ધરપકડ કરવામાં આવી હતી. ર૩ ઓક્‌ટોબરે આપેલા પોતાના આદેશમાં ન્યાયમૂર્તિ સુરેશકુમાર કેતે જણાવ્યું કે ખાનગી વિરૂદ્ધ દિલ્હી પોલીસનો મામલો, ભારતના આતંકવાદ વિરોધી કાયદો (યુએપીએ) લાગુ કરતા ખોટા નિવેદનો પર બનાવવામાં આવ્યા હતા. આ પ્રથમ દૃષ્ટિએ સત્ય નથી લાગતું અને જામીનથી ઈન્કાર કરવાની સખત શરતોને પૂરી કરી નહીં. તેમણે જણાવ્યું કે, હું આ વિચારનો પક્ષધર છું કે અરજીકર્તા જામીનના હકદાર છે. હફ પોસ્ટ ઈન્ડિયાએ પહેલા રિપોર્ટ હત્યા માટે એફઆઈઆર પ૯માં દિલ્હીના રમખાણોનો ષડયંત્ર કેસ નોંધ્યો હતો. ભલે જ તેનો એક માત્ર અપરાધ ડિસેમ્બરમાં એક નકલી આઈડી પર સિમ વેચવા માટે જામિયા મિલ્લિયા ઈસ્લામિયા યુનિ.નો વિદ્યાર્થી જેની છ મહિના પછી તે કેસમાં ધરપકડ કરવામાં આવશે. ખાન ઉત્તરપ્રદેશના પિલીભીતના એક ગરીબ પરિવારથી હતો. સીએએનો શું અર્થ છે તેમને ખબર પણ નથી. તેમણે ક્યારે પણ વિરોધ સ્થળની મુલાકાત લીધી નથી. ખાન જેવા સેલ્સમેને જણાવ્યું કે તેમની પર સેલ્સ કોટા સમાપ્ત કરવાનું દબાણ હતું અને માટે તેમણે સિમ પર સિમ વેચવાની મદદ લીધી. સલમાન ખુરશીદ અને અઝરા રહમાન દ્વારા પ્રતિનિધિત્વ કરનાર ભારતીય દંડસંહિતા (આઈપીસી)ની કલમ ૩૦ર હેઠળ યુએપીએ હેઠળ આતંકવાદના અપરાધ અને હત્યા પછી પોલીસ દ્વારા એફઆરઆઈ પ૯માં જામીન આપનાર બીજી વ્યક્તિ છે. પ્રથમ સફુરા ઝરગર હતી. જેની એપ્રિલમાં ધરપકડ કરવામાં આવી હતી જ્યાર તેે ગર્ભવતી હતી. ર૮ વર્ષીય જામિયા મિલ્લિયા ઈસ્લામિયા યુનિ.ની વિદ્યાર્થિનીની જૂનમાં માનવીય આધારે જામીન આપવામાં આવ્યા હતા. એફઆઈઆર પ૯ની ચાર્જશીટમાં દિલ્હી પોલીસનું કહેવું છે કે જામિયા મિલ્લિયા ઈસ્લામિયા યુનિ.ના ર૪ વર્ષીય વિદ્યાર્થી આસિફ ઈકબાલ તન્હાએ ડિસેમ્બરમાં ખાન પાસેથી સિમ માંગ્યું હતું. અને આ સિમને જાન્યુઆરીમાં એક વ્યક્તિ દ્વારા ઉઠાવવામાં આવ્યું હતું અને પછી જામિયા કોઓર્ડિનેશન કમિટીના સમૂહની બેઠકમાં એક અન્ય અજાણી વ્યક્તિ દ્વારા ઝરગરને સોંપી દેવામાં આવ્યા, જો કે દિલ્હી પોલીસનું કહેવું છે કે ફેબ્રુઆરીમાં રમખાણોને રોકવા માટે મહત્ત્વપૂર્ણ હતા. દિલ્હીના રમખાણોમાં મૃત્યુ પામેલા પ૩ લોકોમાં વધુ પડતા મુસ્લિમો હતા.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
NationalPolitics

કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તન ? ઝઘડતા નેતાઓ પર લગામ લગાવતી કોંગ્રેસની ટોચની નેતાગીરી

શાસક કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તન થઈ…
Read more
AhmedabadNational

રતન તાતાના મૃત્યુના સમાચારથી મુંબઈ, અમદાવાદમાંગરબા કાર્યક્રમો અટકાવી દેવાયા હતા

(એજન્સી) તા.૧૦દિગ્ગજ ઉદ્યોગપતિ રતન…
Read more
National

રતન તાતાના મૃત્યુના સમાચારથી મુંબઈ, અમદાવાદમાંગરબા કાર્યક્રમો અટકાવી દેવાયા હતા

એજન્સી) તા.૧૦ દિગ્ગજ ઉદ્યોગપતિ રતન…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.