Sports

પાકિસ્તાન ટીમમાંથી જાવેદ મિયાંદાદને બહાર કરવા પાછળ ઈમરાનખાનનો હાથ : બાસિતઅલી

નવી દિલ્હી,તા.૧પ
પાકિસ્તાનના વડાપ્રધાન અને ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન ઈમરાનખાન પર તેમના સાથી ક્રિકેટર બાસિતઅલીએ આરોપ લગાવ્યો છે. તેમણે ટાઈમ્સ ઓફ ઈન્ડિયા.કોમ સાથે ખાસ વાતચીતમાં ખુલાસો કર્યો કે વર્લ્ડકપ બાદ ૧૯૮૩ની આસપાસ દિગ્ગજ બેટસમેન જાવેદ મિયાંદાદને ટીમમાંથી કાઢવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. જે બીજા કોઈએ નહીં પણ ઈમરાનખાને રચ્યું હતું. એટલું જ નહીં તેમણે વસીમ અકરમ પર આરોપ લગાવ્યો કે તે ફ્કત નામનો કપ્તાન હતો. નિર્ણય તો ઈમરાનખાન જ લેતા હતા. પૂર્વ પાકિસ્તાની બેટસમેને ખુલાસો કરતા કહ્યું કે, જાવેદ મિયાંદાદને ટીમમાંથી કાઢવાનું ષડયંત્ર રચાયું હતું. તે સમયે મારી તુલના તેમની સાથે કરવામાં આવતી હતી પણ પ્રામાણિકતાથી કહું તો હું મિયાંદાદનો એક ટકા પણ ન હતો. હું ચાર નંબરે બેટિંગ કરતો હતો. જ્યારે મિયાંદાદને હટાવી દેવાયા તો મને છઠ્ઠા નંબરે સ્થળાંતર કરી દેવાયો. ચાર નંબરે મારી એવરેજ પપની હતી. પણ છઠ્ઠા નંબરે મારૂં પ્રદર્શન ખરાબ થઈ ગયું તેઓ જાણતા હતા કે હું આ નંબરે કદાચ જ બેટિંગ કરી શકીશ. આ મારા માટે ધીમું ઝેર હતું.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
Sports

આયરલેન્ડ વિરુદ્ધ ૪૩૫ રન બનાવી નવો રેકોર્ડ બનાવ્યો ભારતીય મહિલા ટીમે ઇતિહાસ રચ્યો

ભારતનો મહિલા અને પુરૂષ…
Read more
Sports

ગજબ જીત, ફક્ત ૧૭ બોલમાં મલેશિયાને ૧૦ વિકેટે કચડ્યું અન્ડર ૧૯ વિશ્વકપમાં ભારતની દીકરીઓએ ઈતિહાસ રચ્યો

વૈષ્ણવી શર્માની હેટ્રીક સહિત પાંચ…
Read more
Sports

અસલ ડર મેં અનુભવ્યો છે : મો.શમી

પુનરાગમન માટે મો.શમીએ બે મહિના સુધ…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.