Gujarat

પાલીતાણા કાનિયાડ અને તરધરા ગામમાં સ્વાઈનફલુથી ૩નાં મોત

ભાવનગર,તા.૪
ભાવનગર જિલ્લાના પાલીતાણા તથા બોટાદ જિલ્લાના કાનિયાડ અને તરધરા ગામે સ્વાઈનફલુના કારણે ત્રણના મોત નીપજયા છે. જેમાં ગઈકાલે રવિવારે વધુ બે વ્યકિતઓના સ્વાઈનફલુથી મોત નીપજયા હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રાપ્ત વિગતો મુજબ બોટાદ જિલ્લાના એક બાવન વર્ષીય આધેડને સ્વાઈનફલુના લક્ષણો જણાતા તેમને ગત તા.ર૯-૧ના રોજ ભાવનગર સર.ટી. હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. જયાં તેઓના સ્વાઈનફલુના રિપોર્ટ પોઝીટિવ આવ્યા બાદ સારવાર દરમ્યાન ગઈકાલે રવિવારે તેમનું કરૂણ મોત નીપજયું હતું.
બીજા બનાવની જાણવા મળેલ વિગત મુજબ પાલીતાણા પંથકમાં રહેતા એક મહિલા છેલ્લા થોડા દિવસથી બીમાર રહેતા હોય, જેમને ગત શનિવારે શંકાસ્પદ સ્વાઈનફલુ સાથે સર.ટી. હોસ્પિટલ ખસેડવામાં આવતા તેમનો પણ સ્વાઈનફલુ પોઝિટીવ રિપોર્ટ આવ્યો હતો. સારવાર દરમ્યાન આ મહિલાનું રવિવારે કરૂણ મોત નીપજયું હતું. ગઈકાલે રવિવારે એક જ દિવસમાં પાલીતાણા તાલુકાના મહિલા અને બોટાદ જિલ્લાના અને તરધરા ગામમાં સ્વાઈનફલુના કારણે ત્રણના મોત નીપજયા છે આમ મૃત્યુઆંક કુલ ૧રએ પહોંચ્યો છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
GujaratHarmony

કોમી એકતા અને ભાઈચારાને ઉજાગર કરતી ઘટનાસુરેન્દ્રનગરમાં હિન્દુ પરિવારે મુસ્લિમ યુવતીનો ઉછેર કરી ધામધૂમથી નિકાહ કરાવ્યા

સુહાના એક મહિનાની હતી ત્યારે તેણે…
Read more
Gujarat

ભાજપના પૂર્વ કેબિનેટ મંત્રી ચાવડાનો સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ઈશારો : વીડિયો વાયરલ

ગુજરાત ભાજપમાં ફરી એકવાર નવા-જૂન…
Read more
Crime DiaryGujarat

રાજકોટનો ગેમઝોન ભયંકર આગમાં બન્યો મોતનો ઝોન : ર૮નાં કરૂણ મોત

માત્ર એક કલાકમાં જ ર૪ જેટલા મૃતદેહો…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.