Hate Crime

મસ્જિદની બહાર અપમાનજનક સૂત્રોચ્ચાર થતાં તોફાનો

મુસ્લિમ મ્યુનિસિપલ કાઉન્સિલરોએ રાજીનામું આપ્યું

(એજન્સી) તા.૨૯
જયપુર-રાજસ્થાનના શાહપુરા જિલ્લાના જહાઝપુર ખાતે સાંપ્રદાયિક હિંસામાં ઘણા લોકો ઘાયલ થયા હતા. હિન્દુઓ દ્વારા કાઢવામાં આવેલા ધાર્મિક સરઘસ દરમિયાન જામા મસ્જિદની બહાર અપમાનજનક સૂત્રોચ્ચાર દ્વારા મુસ્લિમોને ઉશ્કેરવામાં આવ્યા હતા. આ હિંસા દરમિયાન પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને સ્થાનિક ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય દ્વારા બુલડોઝર વડે મુસ્લિમોના દુકાનો લૂંટી અને તોડી પાડવામાં આવી હતી. આ અઠવાડિયે જહાઝપુરની મુલાકાતે આવેલા જયપુરના મુસ્લિમ નેતાઓના જૂથે શહેરમાં તંગ વાતાવરણ જોવા મળ્યું હતું અને મામૂલી આરોપોમાં ધરપકડ કરાયેલા મુસ્લિમ યુવાનો હજુ પણ જેલના સળિયા પાછળ છે, જ્યારે હિન્દુ આરોપીઓને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે. કોંગ્રેસની ટિકિટ પર ચૂંટાયેલા તમામ મુસ્લિમ મ્યુનિસિપલ કાઉન્સિલરોએ સમુદાયને ટેકો આપવાની પાર્ટીની અનિચ્છાના વિરોધમાં તેમના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે.
આ ઘટના ૧૪ સપ્ટેમ્બરે બની હતી. હિન્દુ સમુદાય દ્વારા સ્થાનિક તહેવાર, જલ ઝુલની એકાદશી પર શોભાયાત્રા કાઢવામાં આવ્યા બાદ આ ઘટના બની હતી. સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું કે આવા સરઘસો વર્ષોથી નીકળતા આવ્યા છે, જેમાં સામાન્ય રીતે ૪૦થી વધુ લોકો સામેલ થતા નથી, પરંતુ આ વખતે સરઘસમાં લગભગ ૫૦૦ લોકો લાકડીઓ લઈને મસ્જિદની બહાર વાંધાજનક સૂત્રો પોકારતા હતા અને આ ઘટના પરથી એવું લાગી રહ્યું હતું કે જાણે આ અગાઉથી આયોજિત હતું. મામૂલી બોલાચાલી બાદ વિવાદ વધ્યો હતો અને થોડી જ વારમાં પથ્થરમારો શરૂ થયો હતો. સરઘસમાં ભાગ લેનારી ભીડ હિંસક બની હતી અને ખાનગી બુલડોઝર વડે મુસ્લિમ સમુદાયને નિશાન બનાવવામાં આવ્યો હતો. આ નગરમાં મુસ્લિમોની ૬૫ જેટલી દુકાનો અને કેબિનોને લૂંટી લેવામાં આવી હતી, તોડી પાડવામાં આવી હતી અને આગ લગાડવામાં આવી હતી. જહાઝપુરના બીજેપી ધારાસભ્ય ગોપીચંદ મીણાએ સ્થળ પર પહોંચીને આ મસ્જિદને ગેરકાયદેસર ગણાવી, અને પ્રશાસનને મસ્જિદ સમિતિ પાસેથી દસ્તાવેજો મંગાવવાની માંગ કરી છે. હિન્દુ સમુદાયના દબાણ હેઠળ, જહાઝપુર નગરપાલિકાએ શહેરની બે મસ્જિદોના દસ્તાવેજો તપાસવા માટે ૨૪ કલાકની નોટિસ જારી કરી હતી. આ વિસ્તારના રહેવાસીઓનો આરોપ છે કે હિંસા ભડકાવનારા લોકોને બહારથી બોલાવવામાં આવ્યા હતા, જેના કારણે અહીંના ગરીબ લોકોને હાલાકી ભોગવવી પડી હતી. મોટાભાગના અસરગ્રસ્ત દુકાનદારોએ લોન લઈને ધંધો શરૂ કર્યો હતો અને હવે તેમની આજીવિકા નષ્ટ થઈ ગઈ છે. આ સિવાય વહીવટીતંત્રે પક્ષપાતથી કામ કર્યું હતું. નિર્દોષ મુસ્લિમોની ધરપકડ કરવામાં આવી, પરંતુ હિંસા ફેલાવનારા અસલી ગુનેગારો સામે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. જયપુરથી વિવિધ સાર્વજનિક સંગઠનોનું એક સંયુક્ત પ્રતિનિધિમંડળ જહાઝપુર પહોંચ્યું અને પોલીસ અને વહીવટી અધિકારીઓને મળ્યું અને આ ઘટનામાં એકતરફી કાર્યવાહી સામે નારાજગી વ્યક્ત કરતા નિર્દોષ લોકોને તાત્કાલિક મુક્ત કરવા અને વાસ્તવિક ગુનેગારો સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. શાહપુરાના એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ સુનિલ પુનિયાએ જણાવ્યું હતું કે તેઓ સમગ્ર ઘટનાથી વાકેફ ન હતા અને તેઓએ ખાતરી આપી હતી કે કાનૂની કાર્યવાહી ન્યાયી રીતે થશે. આ સાથે દુકાનોને થયેલા નુકસાનનો સર્વે કરવા માટે એક ટીમની રચના કરવામાં આવી છે અને તેના રિપોર્ટના આધારે અસરગ્રસ્તોને વળતર આપવાના પ્રયાસો કરવામાં આવશે. પ્રતિનિધિમંડળના સભ્યો પાસે સ્થાનિક વેપારીઓએ આક્ષેપ કર્યો હતો કે આ કાર્યવાહી વહીવટીતંત્ર કે પાલિકા દ્વારા કરવામાં આવી નથી, પરંતુ ધારાસભ્ય ગોપીચંદ મીણાના કહેવાથી ખાનગી બુલડોઝર વડે મુસ્લિમોની દુકાનો તોડી પાડવાની કાર્યવાહી કરવામાં આવી છે. હિંસા ભડકાવનારા લોકોને બહારથી બોલાવવામાં આવ્યા હતા, જેના કારણે અહીંના ગરીબ લોકોને હાલાકી ભોગવવી પડી હતી. મોટાભાગના અસરગ્રસ્ત દુકાનદારોએ લોન લઈને ધંધો શરૂ કર્યો હતો અને હવે તેમની પાસે આજીવિકાનું કોઈ સાધન નથી. વહીવટીતંત્રે તેની કાર્યવાહીમાં એકતરફી અભિગમ અપનાવ્યો હતો, અને નિર્દોષ મુસ્લિમોની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ હિંસા ફેલાવનારા વાસ્તવિક ગુનેગારો સામે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી ન હતી. ધારાસભ્ય ગોપીચંદ મીણા પોતાની ગુંડાગીરીથી અહીનું વાતાવરણ બગાડવા અને હિંદુ સમુદાયના ટોળાને ઉશ્કેરવા માટે મુખ્ય વ્યક્તિ જવાબદાર હોવાનું જણાવાયું હતું.
પ્રતિનિધિમંડળે અસરગ્રસ્તોને મળીને સમગ્ર પરિસ્થિતિની માહિતી લીધી હતી અને પીડિતોને ન્યાય આપવા અને વળતર આપવા માટે નિષ્પક્ષ કાર્યવાહી કરવાની માંગ કરી હતી. પ્રતિનિધિમંડળના સભ્યોમાં જમાત-એ-ઇસ્લામી હિંદ (રાજસ્થાન)ના પ્રમુખ મોહમ્મદ નઝીમુદ્દીન, એસોસિએશન ફોર પ્રોટેક્શન ઓફ સિવિલ રાઇટ્‌સ (છઁઝ્રઇ) રાજસ્થાન ચેપ્ટરના પ્રમુખ એડવોકેટ સૈયદ સઆદત અલી, જમિયત ઉલેમા-એ-હિંદ (રાજસ્થાન)ના પ્રમુખ હાફિઝ મંઝૂરનો સમાવેશ થાય છે. જયપુર પરત ફર્યા બાદ, પ્રતિનિધિમંડળના સભ્યોએ પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) ઉત્કલ રંજન સાહૂને પણ મળ્યા અને તેમને જહાઝપુરમાં હિંસાની મુક્ત અને ન્યાયી તપાસ અને ગુનેગારોને પકડવા માટે ત્વરિત કાર્યવાહીની માગણી કરતું મેમોરેન્ડમ સુપરત કર્યું હતું.
આ દરમિયાન કોંગ્રેસની ટિકિટ પર ચૂંટાયેલા જહાઝપુરના તમામ મુસ્લિમ મ્યુનિસિપલ કાઉન્સિલરોએ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેઓએ કહ્યું કે પાર્ટીના નેતૃત્વએ શહેરની પરિસ્થિતિ વિશે પૂછપરછ કરવાની અથવા પીડિતોને સમર્થન આપવાની કોઈ ઈચ્છા દર્શાવી નથી. મ્યુનિસિપલ કાઉન્સિલરોએ જણાવ્યું હતું કે કોંગ્રેસ કટોકટીની પરિસ્થિતિ દરમિયાન સમુદાયને ટેકો આપવા માટે અનિચ્છા ધરાવતી હોવાથી, તેમની સાથે કાર્યાલયમાં કામ કરવું એ યોગ્ય નથી.

Related posts
Hate Crime

આજે ભારત કટ્ટર ધાર્મિક ધ્રુવીકરણનો સામનો કરી રહ્યું છે ત્યારે નેતાજીનું ધર્મનિરપેક્ષ અને એકતા માટેનો દૃષ્ટિકોણ મહત્ત્વપૂર્ણ છે

હું સ્પષ્ટ રીતે એવું વિચારૂં છું કે…
Read more
Hate Crime

ચરખી દાદરી લિંચિંગ કેસ : ગૌહત્યા અંગેની ખોટી અફવાઓને લીધે સાબિરે પોતાનો જીવ ગુમાવ્યો

પશ્ચિમ બંગાળના એક સ્થળાંતરિત…
Read more
Hate Crime

ધાર્મિક સ્થળો પર લાઉડસ્પીકરો અંગે મુંબઈ, અલ્હાબાદ હાઈકોર્ટના તાજેતરના આદેશો અને ભૂતકાળના ચુકાદાઓ પર એક નજર

આ બંને ચુકાદાઓ ફરીથી પુષ્ટિ આપે છે કે…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *