Ahmedabad

રથયાત્રા કાઢવાની જાહેરાત કરનારા ૬ને ડિટેઈન કરાયા

અમદાવાદ, તા.૨૨
જગન્નાથ મંદિરથી ૧૪૩મી રથયાત્રા ના કાઢવા માટે ગુજરાત હાઈકોર્ટના હુકમ બાદ પણ રથયાત્રા કાઢવાની માગણી જોરશોરથી થઈ રહી છે. રથયાત્રા કાઢવાની માગણી સાથે આંતરાષ્ટ્રીય હિન્દુ પરિષદ (AHP) અને રાષ્ટ્રીય બજરંગદળનાં પ્રદેશમંત્રી નિકુંજ પારેખ સહિતના કાર્યકરોએ જાહેરાત કરી હતી. આજે જગન્નાથ મંદિર ખાતે સવારે ૧૦ઃ૩૦ વાગ્યે દિલીપદાસજી મહારાજને રથયાત્રા નીકળવી જોઈએ તેવી રજૂઆત કરવા કાર્યકરો જવાના હતા. જો કે, પોલીસે ગતરાતથી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ (AHP)ના પ્રદેશમંત્રી સહિત ૬ લોકોને ડિટેઈન કર્યા તેમજ સવારથી અર્જુન આશ્રમ ખાતે ૨૦૦ જેટલી પોલીસની ફોજ ખડકી દેવાઈ છે. નિકુંજ પારેખે એવો દાવો કર્યો છે કે, ભલે પોલીસે અમને ડિટેઇન કર્યા પણ અમારી બીજી ટીમો આજનો કાર્યક્રમ પર પાડશે અને આવતીકાલે રથયાત્રા પણ નીકળશે. પોલીસે આંતરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સાથે જોડાયેલા કાર્યકરોને ડિટેઈન કરવાની કાર્યવાહી શરૂ કરી છે. ચાંદલોડિયા અર્જુન આશ્રમ ખાતે કેટલાક કાર્યકરો એકત્ર થયાની વિગત મળતા પોલીસ કાફલો આશ્રમ પર ખડકી દેવાયો છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
AhmedabadNational

રતન તાતાના મૃત્યુના સમાચારથી મુંબઈ, અમદાવાદમાંગરબા કાર્યક્રમો અટકાવી દેવાયા હતા

(એજન્સી) તા.૧૦દિગ્ગજ ઉદ્યોગપતિ રતન…
Read more
AhmedabadCrime

બાળકોના રમકડાંમાં નશાના સામાનની ડિલિવરી ધો.૧૦-૧રના છાત્રો મંગાવતા હોવાનો ઘટસ્ફોટ !

અમેરિકાથી અમદાવાદ આવેલ પાર્સલોમાં…
Read more
AhmedabadGujarat

વૃક્ષો જ નહીં હોય ત્યાં તીવ્ર ગરમીમાં ક્યાં જઈશું ?

રાજ્યમાં હાલ તીવ્ર ગરમીનો માહોલ છે.
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.