Gujarat

રાજસ્થાન સરકારે સીલ કરેલી આંતરરાજ્ય સરહદો ખુલ્લી મૂકાઈ

મોડાસા, તા.૧૭
રાજસ્થાનમાં કોરોના દર્દીઓનો આંકડો ૭ દિવસ અગાઉ ૧૧ હજારને વટાવી દેતા અને કોરોનાના લીધે ૨૫૬ લોકોનાં મોત નિપજતા સતત કોરોના પોઝિટિવ કેસ વધતા રાજસ્થાન સરકારે ૭ દિવસ સુધી આંતરરાજ્ય સરહદો સીલ કરવાનો નિર્ણય લીધો હતો જેમાં રાજસ્થાનને ગુજરાત સહિત પંજાબ, હરિયાણા, દિલ્હી, મધ્યપ્રદેશની અડતી તમામ આંતરરાજ્ય સરહદો સીલ કરી દીધી હતી. રાજસ્થાન રાજ્યમાં પ્રવેશવા માટે અને રાજ્યની બહાર જવા માટે કલેક્ટર કક્ષાના અધિકારીનો પાસ અમલી બનાવી દેવામાં આવતા વાહનચાલકો અને લોકોની અવર-જવર પર પ્રતિબંધ લાગી ગયો હતો. રાજસ્થાન સરકારે ૭ દિવસ પછી આંતરરાજ્ય સરહદો પરથી નિયંત્રણ હટાવી લેતા વાહનચાલકોમાં અને લોકોમાં આનંદ છવાયો હતો. રાજસ્થાનમાં પ્રવેશ મેળવનાર તમામ વાહનો નોંધણી ફરજિયાત બનાવી દેવામાં આવી છે.
બુધવારે ૭ દિવસ પછી રાજસ્થાન સરકારે આંતરરાજ્ય સરહદો પુનઃ તમામ વાહનચાલકો અને લોકો માટે ખુલ્લી મૂકી દેવામાં આવતાં લોકોમાં આનંદ છવાયો હતો. સરહદો સીલ કરતાં અટવાયેલા લોકો પરત વતન ફર્યા હતા. અરવલ્લી જિલ્લાની આંતરરાજ્ય સરહદ રતનપુર ચેકપોસ્ટ સહિત અન્ય બોર્ડર ખુલ્લી કરી દેતા વાહનોની અવર-જવર રાબેતા મુજબની જોવા મળી હતી.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
GujaratHarmony

કોમી એકતા અને ભાઈચારાને ઉજાગર કરતી ઘટનાસુરેન્દ્રનગરમાં હિન્દુ પરિવારે મુસ્લિમ યુવતીનો ઉછેર કરી ધામધૂમથી નિકાહ કરાવ્યા

સુહાના એક મહિનાની હતી ત્યારે તેણે…
Read more
Gujarat

ભાજપના પૂર્વ કેબિનેટ મંત્રી ચાવડાનો સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ઈશારો : વીડિયો વાયરલ

ગુજરાત ભાજપમાં ફરી એકવાર નવા-જૂન…
Read more
Crime DiaryGujarat

રાજકોટનો ગેમઝોન ભયંકર આગમાં બન્યો મોતનો ઝોન : ર૮નાં કરૂણ મોત

માત્ર એક કલાકમાં જ ર૪ જેટલા મૃતદેહો…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.