મોટા શહેરોને નાના શહેરોથી જોડવા માટે પ્રાદેશિક હવાઈ જોડાણ શરૂ કરવા સરકારનું આયોજન
• અમદાવાદથી ભૂજ, સુરત-ભાવનગર, સુરત-અમરેલી, સુરત-રાજકોટ, સુરત-અમદાવાદ ફ્લાઈટ શરૂ થશે
• એર-ટિકિટનો મહત્તમ દર રૂા.૩પ૦૦થી પ૦૦૦નો નક્કી કરાયો
(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.૩
રાજ્યના મોટા શહેરોને નાના શહેરો સાથે જોડવા માટે સરકારે પ્રાદેશિક એર સેવા શરૂ કરવા ભણી આગળ વધી રહી છે અને તેના ભાગરૂપે જ રાજ્ય સરકારે આજે અમદાવાદ અને સુરતથી નવી પાંચ એર સેવા શરૂ કરવાનો મહત્ત્વનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં ઉડ્ડયન અને પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે અને રાજ્યની અંદર સુવ્યવસ્થિત હવાઈ જોડાણ ઉપલબ્ધ કરાવવા રાજ્યમાં આંતર પ્રાદેશિક હવાઈ સેવા પૂરી પાડવા મહત્ત્વનું પગલું ભરી રાજ્યમાં અમદાવાદ અને સુરતથી પાંચ નવી હવાઇ સેવાઓ શરૂ કરવાનો સરકારે નિર્ણય કર્યો છે. તદઅનુસાર અમદાવાદ-ભુજ-અમદાવાદ, સુરત-ભાવનગર-સુરત, સુરત-અમરેલી-સુરત, સુરત-રાજકોટ-સુરત, સુરત-અમદાવાદ-સુરત માટે શરૂ થનાર હવાઇ સેવાઓ માટે મહત્તમ રૂા.૩૫૦૦થી ૫૦૦૦ રૂા. ટીકીટનો દર નિયત કરાયો છે. રાજ્યના નાગરિકોને લોકોને સૌથી ઝડપી અને આર્થિક પરિવહન સુવિધા પૂરી પાડવા માટે રાજ્ય સરકારે વિવિધ પ્રવાસન સ્થળો તેમજ નાના શહેરોને મોટા શહેરો સાથે જોડવા માટે પ્રાદેશિક હવાઈ જોડાણ શરૂ કરવાનું આયોજન કર્યુ છે. ઉડ્ડયન વિભાગ રાજ્યના નાગરિકોને નાગરિક ઉડ્ડયન ક્ષેત્રે વધુ સારી કનેક્ટીવીટી, સુવિધાસહ મળે તે માટે સતત પ્રયત્નશીલ છે અને ગુજરાતના શહેરોને જોડવા માટે રાજ્યની ફય્હ્લ યોજના હેઠળ શરૂ કરવાનો નિર્ણય લઇ મંજુરી આપી છે. જેમાં અમદાવાદ-ભુજ-અમદાવાદ માટે ૫૦ સીટરની વિમાની સુવિધા, સુરત-ભાવનગર-સુરત માટે ૦૯ સીટરની, સુરત-અમરેલી-સુરત માટે ૦૯ સીટની, સુરત-રાજકોટ-સુરત માટે ૦૯ સીટર તથા સુરત-અમદાવાદ-સુરત ૦૯ સીટરની સુવિધાઓ ઉપલબ્ધ બનાવાશે. આ ફ્લાઇટો નાગરિકો માટે વધુ સુગમ સમયે વ્યાજબી દરે શરૂ કરવામાં આવશે. આ બધા રૂટ ્ૈીિ -૨ અને ્ૈીિ-૩ શહેરોને હવાઇ જોડાણ પૂરૂ પાડી શકાશે. રાજ્ય સરકાર દ્વારા ્ૈીિ-૩ શહેરોને ્ૈીિ-૪ શહેરો સાથેની હવાઇ સેવા આગામી સમયમાં શરૂ કરવાનું આયોજન છે. આ બાબતને ધ્યાનમાં લેતા, હાલમાં રાજ્યમાં ભારત સરકારની ઇઝ્રજી-ઉડાન યોજના અને રાજ્યની યોજનાઓ હેઠળ ૧૦ એરપોર્ટ અને ૨૦ રૂટ સંચાલન થઇ જશે. આ સેવા હેઠળ ટિકિટનો દર રૂટના સમયગાળા મુજબ મહત્તમ રૂા.૩,૫૦૦/-થી રૂા.૫,૦૦૦/- સુધી રહેશે. આ સેવા સ્થાનિક લોકો માટે વિવિધ એરપોર્ટ પર રોજગારીનું સર્જન કરશે અને વિવિધ સ્થળોની સ્થાનિક અર્થવ્યવસ્થાને વધુ વેગ આપશે અને મુસાફરી સરળ અને ઝડપી બનશે. તે રાજ્યના એકંદર પ્રવાસન પ્રયાસોને પ્રોત્સાહન આપશે તેવી પણ અપેક્ષા છે કારણ કે વિદેશી પ્રવાસીઓ તેમના પ્રવાસના સમયમાં વધુ સ્થળોનો સારી રીતે પ્રવાસ કરી શકશે. ગુજરાત અગ્રણી ઔદ્યોગિક રાજ્ય છે ત્યારે અગ્રણી ઉદ્યોગપતિઓ વારંવાર અમદાવાદથી સુરત, રાજકોટ, અમરેલી, ભાવનગર અને કચ્છની મુસાફરી કરે છે. પ્રાદેશિક એરલાઇનની હાજરીથી તેમનો સમય બચશે અને પ્રવાસીઓ ઓછા સમયમાં તેમનું વ્યવસાયિક કાર્ય સમયસર પૂર્ણ કરી શકશે.