Crime Diary

સમગ્ર પશ્ચિમ બંગાળમાં ટોળા દ્વારા હુમલાની ઘટનાઓ વચ્ચેભાંગરમાં ૫૦ વર્ષીય અઝગર મોલ્લાની ‘ટોળાના હુમલા દ્વારા હત્યા’

(એજન્સી) તા.૮
પશ્ચિમ બંગાળના દક્ષિણમાં ૨૪ પરગણા જિલ્લાના ભાંગરમાં ગઈકાલે એક ૫૦ વર્ષીય વ્યક્તિને માર મારી તેની હત્યા કરવામાં આવી હતી. અફવાઓ દ્વારા ઉશ્કેરાયેલા મોબ લિંચિંગના વધતા જતા કિસ્સાઓ વચ્ચે આ ઘટના બની હતી. પીડિત ફુલબારીના અઝગર મોલ્લા તરીકે ઓળખાય છે, જેનો શબ ભાંગર પોલીસ સ્ટેશનથી ૫૦૦ મીટર દૂર મળી આવ્યો હતો, આ વિસ્તાર કોલકાતા પોલીસના અધિકારક્ષેત્રમાં આવે છે.
શરૂઆતમાં ત્યાં રહેલા સાક્ષીઓને લાગ્યું કે, મોલ્લા નશાના હાલમાં છે પણ બાદમાં તે એક ભૂલ હોવાનું સમજાયું અને હોસ્પિટલમાં પહોંચતા જ તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. ભાંગર બજારમાં ચોરી બાદ સ્થાનિકોએ આ વિસ્તારમાં રાત્રે સુરક્ષા ગોઠવી હતી અને મોબ લિંચિંગની ઘટના સવારે ૪ઃ૩૦ વાગ્યાની આસપાસ બની હોવાનું જાણવા મળ્યું છે. સાક્ષીઓનો આરોપ છે કે, હુમલા દરમિયાન કોઈએ મોલ્લાને બચાવવાનો પ્રયાસ કર્યો ન હતો.
પોલીસે મોલ્લાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને કોઈ ઔપચારિક ફરિયાદ ન મળવા છતાં તપાસ શરૂ કરી છે. શાસક તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના નેતા જોય પ્રકાશ મજમુદારે યોગદાન આપનાર પરિબળ તરીકે વિધાન પ્રક્રિયામાં વિલંબ તરફ ધ્યાન દોર્યું હતું. મજુમદારે કહ્યું, ‘મમતા બેનરજીની સરકારે ટોળાના હુમલા અને ટોળા દ્વારા હત્યા સામે કાયદાનો મુસદ્દો તૈયાર કર્યો હતો અને જ્યારે જગદીપ ધનખડ રાજ્યપાલ હતા ત્યારે તેને મંજૂરી માટે રાજભવન મોકલવામાં આવ્યો હતો. હવે કાયદો રાજભવનમાં ગવર્નર સી.વી. આનંદ બોઝ પાસે અટવાયું છે.’ તાજેતરના અઠવાડિયામાં પશ્ચિમ બંગાળના પાંચ જિલ્લાઓમાં મોબ-લિંચિંગના કેસોમાં વધારો જોવા મળ્યો છે : ઉત્તર ૨૪ પરગણા, દક્ષિણ ૨૪ પરગણા, હુગલી, બર્ધમાન અને પશ્ચિમ મેદિનીપુર, અગાઉ આ પ્રદેશોમાં મોબ-લિંચિંગની ઘટનાઓ બની છે, જે જાહેર સલામતી અને કાયદાના અમલીકરણ પર વધતી જતી ચિંતાને પ્રકાશિત કરે છે.

Related posts
Crime Diary

યુપીમાં ક્લાસના અન્ય વિદ્યાર્થીઓને સાથી વિદ્યાર્થીને થપ્પડ મારવાનું કહેનાર મહિલા શિક્ષકે આત્મસમર્પણ કર્યું, જામીન પણ મળ્યા

(એજન્સી) તા.૬ઉત્તરપ્રદેશમાં એક મહિલા…
Read more
Crime Diary

UP: મુરાદાબાદ હાઉસિંગ સોસાયટીમાં મુસ્લિમ ડોક્ટરનેફ્લેટ વેચવાને લઈને ‘મકાન વાપસ લો’ના સૂત્રોચ્ચાર સાથે દેખાવ

(એજન્સી) તા.૫ગુરૂવારે મુરાદાબાદમાં એક…
Read more
Crime Diary

“રાજધર્મ નિભાવો”; સંંભલ અને અજમેરનામુદ્દાઓ પર કેન્દ્રને સલાહ આપતા TMCના મંત્રી

રર વર્ષે ફરીથી કોઈએ ‘રાજધર્મ’…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.