Downtrodden

સીએમ સિદ્ધારમૈયાના મૂળ ગામની બાજુમાં જ દલિત પરિવાર ચાર વર્ષથી સામાજિક બહિષ્કૃત

(એજન્સી)         મૈસૂરૂ, તા.૫
એક શરમજનક ઘટનામાં, મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાના વિધાનસભા મતવિસ્તાર, વરૂણામાં એક દલિત પરિવાર છેલ્લા ચાર વર્ષથી સામાજિક બહિષ્કાર સહન કરી રહ્યો છે. ગામ, શ્રીનિવાસપુરા, મૈસુર તાલુકામાં સિદ્ધારમૈયાના મૂળ ગામ સિદ્ધારમનાહુન્ડીની બાજુમાં છે.
શ્રીનિવાસપુરા ગામમાં મડીગા સમાજના લોકો વસે છે અને સુરેશના પરિવારનો તેમના જ સમાજ દ્વારા બહિષ્કાર કરવામાં આવ્યો છે. ગામમાં ઝઘડા પછી, વડીલોએ સુરેશના પરિવાર પર ૧૬,૦૦૦ રૂપિયાનો દંડ પણ લાદી દીધો હતો.
જ્યારે પરિવારે કહ્યું કે તેઓ આટલી મોટી કિંમત ચૂકવી શકે તેમ નથી ત્યારે તેમનો સામાજિક બહિષ્કાર કરવામાં આવ્યો હતો. પરિવારને ગામમાં મંદિરમાં જવાની મંજૂરી આપવામાં આવી નથી અને સુરેશનો પરિવાર જ્યાં રહે છે તે શેરીમાંથી ગામના દેવતાની શોભાયાત્રા કાઢવામાં આવતી નથી. અન્ય પરિવારોને પણ સુરેશના પરિવારમાં કોઈની સાથે વાત કરવાની મનાઈ છે.
પરિવારે દાવો કર્યો છે કે તહસીલદાર, પોલીસ અને ડેપ્યુટી કમિશનર અને સીએમ સિદ્ધારમૈયાના પુત્ર યતિન્દ્રને પણ ફરિયાદ કરવા છતાં કંઈ કરવામાં આવ્યું નથી. જ્યારે પરિવારમાં મૃત્યુ થયા ત્યારે કોઈ તેમની મદદ માટે આવ્યું ન હતું, સુરેશે કહ્યું અને ઉમેર્યું કે જો કોઈ પરિવારનો સંપર્ક કરે છે, તો તેને ૫,૦૦૦ રૂપિયાનો દંડ કરવામાં આવે છે.

Related posts
Downtrodden

કેરળમાં ૧૮ વર્ષની દલિત યુવતી પર પાંચ વર્ષમાં ૬૪ લોકોએ દુષ્કર્મ આચર્યું

બાળ કલ્યાણ સમિતિ સમક્ષ યુવતીએ પોતાન…
Read more
Downtrodden

કેરળમાં ૧૮ વર્ષની દલિત યુવતી પર પાંચ વર્ષમાં ૬૪ લોકોએ દુષ્કર્મ આચર્યું

બાળ કલ્યાણ સમિતિ સમક્ષ યુવતીએ પોતાન…
Read more
Downtrodden

કેરળમાં ૧૮ વર્ષની દલિત યુવતી પર પાંચ વર્ષમાં ૬૪ લોકોએ દુષ્કર્મ આચર્યું

બાળ કલ્યાણ સમિતિ સમક્ષ યુવતીએ પોતાન…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *