Ahmedabad

સી-પ્લેનનું બુકિંગ તા.૨૦ ડિસે.એ શરૂ થવાનું હતું તે હજુ સુધી બંધ

રો-રો ફેરીની જેમ ડચકાં ખાતી સી-પ્લેન સેવા
તા.૩૧ ઓક્ટોબરે શરૂ થયેલી સી-પ્લેન સેવા ૫૦ દિવસમાં માત્ર ૨૪ દિવસ જ પ્લેન ઊડ્યું

અમદાવાદ, તા.૨૨
મોટા તામજામ સાથે શરૂ કરવામાં આવેલી ભારતની પહેલી સી-પ્લેન સર્વિસ પણ રો-રો ફેરી સર્વિસની જેમ ડચકા ખાઈ રહી છે. અંદાજીત બે મહિનાથી પણ ઓછા સમય પહેલા ૩૧ ઓક્ટોબરના રોજ ભવ્ય શરૂઆત પછી અંદાજીત ૫૦ દિવસોમાં માત્ર ૨૪ દિવસ જ આ સી પ્લેન ઉડ્યું છે. ભલે તાજેતરમાં સી પ્લેન સેવા ઓપરેટ કરતી કંપની સ્પાઇસજેટ દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હોય કે કંપની ૨૭ ડિસેમ્બરથી સી પ્લેન સર્વિસ ફરી શરૂ કરવા જઈ રહી છે અને તે માટે બુકિંગ સર્વિસ ૨૦ ડિસેમ્બરથી શરૂ થશે જોકે હજુ સુધી પણ આ પ્લેન સેવા માટે ન તો ઓનલાઈન બુકિંગ શરૂં કરવામાં આવ્યું છે ન તો રિવરફ્રન્ટ પર આવેલા વોટરડ્રોમ ખાતે કંપનીનું બુકિંગ કાઉન્ટર ઓપન છે. સ્પાઇસ જેટની સત્તાવાર વેબસાઇટ પર ૨૭ ડિસેમ્બર અને તેના પછીની તારીખો માટેની ફ્લાઇટ દર્શાવે છે. જ્યારે વોટરડ્રોમ ખાતે બુકિંગ કાઉન્ટર પણ બંધ છે. ગત સપ્તાહમાં એરલાઇનના પ્રવક્તાએ કહ્યું હતું કે સી પ્લેન સર્વિસ આગામી ૨૭ ડિસેમ્બરથી શરૂ થશે. ઇન્ડસ્ટ્રીના નિષ્ણાંતોએ કહ્યું કે ડચકા ખાતી સર્વિસ અને બુકિંગ ચેનલના પણ કોઈ ઠેકાણાં ન હોવાથી તેની સીધી અસર આ સેવા પ્રત્યે ગ્રાહકોના વિશ્વાસ પર પડશે. ટ્રાવેલ એજન્ટ્‌સ ફેડરેશન ઓફ ઇન્ડિયાના સેક્રેટરી મનિષ શર્માએ કહ્યું કે, ટુરિસ્ટો જ્યારે કોઈ સર્વિસ માટે પે કરતા હોય છે ત્યારે તેઓ એ બાબતનું ચોક્કસ ધ્યાન રાખે છે કે સર્વિસ કેટલી નિયમિત છે અને તેનાથી લોકોને કેટલો સારો અનુભવ મળે છે. જો સર્વિસ નિયમિત ન ચાલતી હોય તો તેનાથી ટુરિઝમને નુકસાન પહોંચે છે અને કોઈ પ્રકારનું બુસ્ટિંગ મળતું નથી. સી પ્લેન સર્વિસને લઈને શરુઆતથી જ સમસ્યા રહી છે. આ સર્વિસની શરૂઆતથી જ બુકિંગ માટે કોઈ યોગ્ય સિસ્ટમ નથી. જેમ કે જેવી સર્વિસની શરૂઆત થઈ કે એરલાઇન બુકિંગ રિક્વેસ્ટ તો સ્વિકારતી હતી પરંતુ બુકિંગ કન્ફર્મેશન આપતી નહોતી. તો બીજી તરફ પ્લેનના મેન્ટેનન્સની ફેસિલિટી હજુ પણ તૈયાર થઈ રહી છે. સી પ્લેનને દર ૩-૪ મહિને મેન્ટેનન્સ કરાવવું પડે છે. જેના માટે વેટ અને ડ્રાય એમ બંને પ્રકારના ડોકની જરૂરિયાત રહે છે. જે રિવરફ્રન્ટ પર સી પ્લેન જેટીની બાજુમાં હજુ પણ તૈયાર થઈ રહ્યા છે. આ જ કારણે સી પ્લેનને મેન્ટેનન્સ માટે પરત માલદિવ મોકલી દેવામાં આવ્યું છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
AhmedabadNational

રતન તાતાના મૃત્યુના સમાચારથી મુંબઈ, અમદાવાદમાંગરબા કાર્યક્રમો અટકાવી દેવાયા હતા

(એજન્સી) તા.૧૦દિગ્ગજ ઉદ્યોગપતિ રતન…
Read more
AhmedabadCrime

બાળકોના રમકડાંમાં નશાના સામાનની ડિલિવરી ધો.૧૦-૧રના છાત્રો મંગાવતા હોવાનો ઘટસ્ફોટ !

અમેરિકાથી અમદાવાદ આવેલ પાર્સલોમાં…
Read more
AhmedabadGujarat

વૃક્ષો જ નહીં હોય ત્યાં તીવ્ર ગરમીમાં ક્યાં જઈશું ?

રાજ્યમાં હાલ તીવ્ર ગરમીનો માહોલ છે.
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.