Gujarat

સુરત : પરીક્ષા રદની માંગ સાથે NSUIના કુલપતિની ચેમ્બરની બહાર ધરણા

(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૧૭
કોરોનાની મહામારીના કારણે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને લઈને પરીક્ષા મોકૂફ કરવા માટે થઈ રહેલા વિરોધમાં એનએસયુઆઈના કાર્યકરો જ્યાં સુધી પરીક્ષા મોકૂફનો પરિપત્ર રદ નહીં થાય ત્યાં સુધી કુલપતિની ઓફિસની બહાર ધરણા પર બેઠા છે. આગામી ૨૫મી જૂનથી નર્મદ યુનિવર્સિટી પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયો છે જેને લઈને એબીવીપી, એનએસયુઆઈ તથા સેનેટ સિન્ડિકેટ સભ્યો દ્વારા જોરદાર વિરોધ થઈ રહ્યો છે જેમાં એનએસયુઆઈએ ૨૪ કલાકનું અલ્ટીમેટમ આપ્યા બાદ બુધવારે સવારથી એનએસયુઆઈના ભાવેશ રબારી, મનીષ દેસાઈ સહિતના કાર્યકરો કુલપતિની ઓફિસની બહાર ધરણા પર બેસી ગયા છે તેમના જણાવ્યા મુજબ, કોરોનાના કારણે વિદ્યાર્થીઓને પરીક્ષા આપવી મુશ્કેલ છે. આથી અમો એ માંગ કરી હતી કે ક્યાં તો માસ પ્રમોશન અપાવું ક્યાં તો ઓનલાઈન પરીક્ષા લેવી જોઈએ અને આ બંનેમાંથી કોઈ વિકલ્પ નહીં હોય તો પરીક્ષા મોકૂફ રાખવી જોઈએ. પરંતુ યુનિવર્સિટી દ્વારા કોઈ હુકમ નહીં થતાં બુધવારે ધરણા પર બેઠા છે અને જ્યાં સુધી કુલપતિ ૨૫મી શરૂ થનારી પરીક્ષા રદ કરવાનો પરીપત્ર જાહેર કરવામાં નહીં આવે ત્યાં સુધી એનએસયુઆઈના કાર્યકરો કુલપતિ ઓફિસમા ધરણા પર બેસી રહીને વિરોધ શરૂ કરવાનું નક્કી કર્યું છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
GujaratHarmony

કોમી એકતા અને ભાઈચારાને ઉજાગર કરતી ઘટનાસુરેન્દ્રનગરમાં હિન્દુ પરિવારે મુસ્લિમ યુવતીનો ઉછેર કરી ધામધૂમથી નિકાહ કરાવ્યા

સુહાના એક મહિનાની હતી ત્યારે તેણે…
Read more
Gujarat

ભાજપના પૂર્વ કેબિનેટ મંત્રી ચાવડાનો સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ઈશારો : વીડિયો વાયરલ

ગુજરાત ભાજપમાં ફરી એકવાર નવા-જૂન…
Read more
Crime DiaryGujarat

રાજકોટનો ગેમઝોન ભયંકર આગમાં બન્યો મોતનો ઝોન : ર૮નાં કરૂણ મોત

માત્ર એક કલાકમાં જ ર૪ જેટલા મૃતદેહો…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.