પ્રદર્શન કર્યા વિના સેવા કરો. – હદીસ બોધ
બોધ વચન
માનવીએ એટલું ધ્યાન રાખવું જોઈએ કે તે એટલો બધો બુદ્ધિશાળી ન બની જાય કે હાસ્ય જેવી મહાન ખુશીથી અલિપ્ત થઈ જાય. – એડિસન
આજની આરસી
૨૬ જાન્યુઆરી રવિવાર ર૦૨૫
૨૫ રજબ હિજરી ૧૪૪૬
પોષ વદ બારસ સંવત ૨૦૮૧
સુબ્હ સાદિક ૫-૫૯
ખત્મે ઝવાલ ૧૨-૫૨
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૭-૨૧
ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૬-૨૩
વિશ્વપ્રસિદ્ધ વિદ્વાન શાયર ‘અલ્લામા ઈકબાલ’ કોઈ પરિચયના મોહતાજ નથી… એમણે દાયકાઓ પહેલાં જે લખ્યું છે એ આજે પણ એટલું જ પ્રાસંગિક છે ત્યારે તેમની ફિલસુફીથી છલોછલ એવી ઈલ્મી રચનાઓને અહીં સરળ ગુજરાતીમાં ભાવાનુવાદ સાથે સમજાવવાનો પ્રયાસ કર્યો છે.
અલ્લામા મુહમ્મદ ઈકબાલની શાયરી /ભાવાનુવાદ
કિસે નહીં હૈ તમન્ના-એ સરવરી, લેકીન
ખુદી કી મોત હો જિસ મેં વો સરવરી ક્યા હૈ
કોને સર્વોપરી બનવાનું, દુંનિયાના તમામ એશોઆરામ મળે તેવી ઈચ્છા નથી થતી ? પરંતુ પોતાની ‘ખુદી’ના રહે, સ્વનું અસ્તિત્વ મટી જાય, ઈમાનથી દૂર થઈ જાય, આત્મસન્માન ના રહે તેવી સર્વોપરીતા કે સુખ સમૃદ્ધિ નકામી છે તેમ કવિ જણાવે છે. -(ભાવાનુવાદ કર્તા અલ્તાફહુસૈન સૈયદ)