અમરેલીના ચક્કરગઢ રોડ ઉપર પડેલ લાંબા ગાબડાવાળા રોડ પર કોંગ્રેસ કાર્યકરો દ્વારા વૃક્ષારોપણ કરી નવતર વિરોધ

અમરેલી, તા.૧૮
અમરેલી શહેરની છેવાડાની સોસાયટીઓ તેમજ મુખ્યમાર્ગો બિસ્માર બનેલા છે. ટ્રાફિકથી સસત ધમધમતા અને શહેરનો પ્રવેશદ્વાર લેખાતો ચક્કરગઢ રોડ ઉપર સર્જાયેલ ગાબડાની હારમાળામાં વાહનચાલકો અકસ્માતનો ભોગ બની રહેલ છે. આ વિસ્તારના સદસ્ય દ્વારા રોડ મરામતની પાલિકામાં રજૂઆત કરવા છતાં પણ ફરિયાદ કાને ધરવામાં આવતી નથી. ગેરંટી પીરિયડમાં તહશ-નહશ થઈ ગયેલા રોડ અંગે જવાબદારો સામે પગલા ભરવામાં લાજ કાઢી રહેલા પાલિકા અધિકારી સામે કાનૂની રાહે કલેક્ટર દ્વારા પગલા ભરવા સ્થાનિક રહીશોમાંથી માગણી ઉઠેલ હતી. સ્ટ્રીટ લાઈટ, રોડ-રસ્તાથી ત્રાહિમામ પોકારી ઉઠેલ જનતા જનાર્દન સાથે પાલિકાના સદસ્યોએ આગામી દિવસોમાં પાલિકા સામે આંદોલન કરવાનો આક્રોશ ઠાલવેલ હતો. સાથો-સાથ ગાબડાવાળા રોડ ઉપર આજે વૃક્ષારોપણ કરી નવતર વિરોધ પણ પ્રદર્શિત કરવામાં આવેલ હતો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts