અયોધ્યા : દલિત યુવકના મોત મામલે આખરે પોલીસ જાગી ! ચાર વ્યક્તિ વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો

પુરાકલંદર પોલીસ સ્ટેશન વિસ્તારના ભીખારીપુર ગામના રહેવાસી દલિત યુવક સુનીલના તાજેતરમાં થયેલા શંકાસ્પદ મૃત્યુના સંબંધમાં પોલીસે ચાર લોકો વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો છે, મૃતક યુવકની પત્નીની ફરિયાદના આધારે આ રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો છે, યુવકની લાશ મળી આવ્યા બાદ પરિવારજનો અને સ્થાનિક લોકોએ રસ્તો રોકી વિરોધ કર્યો હતો અને હત્યાનો આક્ષેપ કર્યો હતો

(એજન્સી) સોહાવલ, તા.૩૦
પોલીસ સ્ટેશન વિસ્તારના ભીખારીપુર ગામના રહેવાસી સંતરામના પુત્ર ૪૦ વર્ષીય દલિત યુવક સુનીલ કુમારનો મૃતદેહ મોઈયા કપૂરપુર ગામમાં એક ઘર પાસે મળી આવ્યો હતો. આ મામલાની માહિતી મળ્યા બાદ પરિવારના સભ્યો અને સ્થાનિક લોકોએ મસૌધા-સોહાવલ તહેસીલ રોડને બ્લોક કરીને કલાકો સુધી વિરોધ પ્રદર્શન કર્યું હતું, હત્યા કરી અને મૃતદેહ ફેંકી દેવાનો આરોપ લગાવ્યો હતો. પુરાકલંદર પોલીસ ઉપરાંત અન્ય બે પોલીસ સ્ટેશનના પોલીસ દળને સ્થળ પર બોલાવવા પડ્યા અને ડેપ્યુટી ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ સોહાવલ અશોક સૈની અને સીઓ સદર સંજીવ કુમાર સિંહે પરિવારના સભ્યો અને ભીડનો ગુસ્સો શાંત કર્યો હતો અને ન્યાયી તપાસની ખાતરી આપી હતી, દોષિતો સામે કાર્યવાહી અને પીડિત પરિવારને શક્ય તમામ મદદની ખાતરી આપવામાં આવી હતી. આ પછી, ડૉક્ટરોની પેનલ દ્વારા મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. અંતિમ સંસ્કાર બાદ મૃતકની પત્ની ઉષા દેવી વતી પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આરોપ હતો કે, તે જ પોલીસ સ્ટેશન વિસ્તારના તિવારી પૂર્વાના રહેવાસી દીના નાથ તિવારી, તેના પુત્રો સોમુ, રાહુલ અને પડોશી જિલ્લા ગોંડાના રહેવાસી એક અજાણ્યા વ્યક્તિએ તેના પતિ સુનીલ પર લોખંડના સળિયાથી હુમલો કર્યો હતો અને તેની હત્યા કરી હતી. પોલીસ સ્ટેશનના પ્રભારી રતન કુમાર શર્માએ જણાવ્યું કે, મૃતકની પત્નીની ફરિયાદના આધારે કુલ ચાર લોકો વિરૂદ્ધ હત્યા અને ધાકધમકી અને એસસી/એસટી એક્ટની કલમો હેઠળ રિપોર્ટ નોંધવામાં આવ્યો હતો, જેમાં પિતા અને પુત્ર સહિત ત્રણના નામ હતાં. હાલ પોલીસ પોસ્ટ મોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે. કેસના તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. (સૌજન્ય : જસ્ટિસ ન્યૂઝ)

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts