અરવિંદ કેજરીવાલ ૪૮ કલાકની અંદર દિલ્હીના મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપશે : સુપ્રીમ કોર્ટના પ્રતિબંધો અને કોર્ટનીલાંબી લડાઈ અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, મારૂં ભાગ્ય મતદારોના હાથમાં છે, દિલ્હીમાં વહે

જરીવાલે કહ્યું છે કે, દિલ્હીમાં ચૂંટણી આવતા વર્ષે ફેબ્રુઆરીમાં થવાની છે પરંતુ હું મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની સાથે નવેમ્બરમાં જ ચૂંટણી કરાવવાની માંગ કરૂં છું

(એજન્સી) નવી દિલ્હી, તા.૧૫
દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે રવિવારે ૧૫ સપ્ટેમ્બરે જાહેરાત કરી કે તેઓ તેમના પદ પરથી બે દિવસમાં રાજીનામું આપી દેશે. કેજરીવાલે કહ્યું કે સુપ્રીમ કોર્ટે એક્સાઈઝ પોલિસી કેસમાં તેમને જામીન આપ્યા હોવા છતાં તેમને મુખ્ય પ્રધાન તરીકે ફરજ બજાવતા રોકવામાં આવ્યા છે. તેથી, તેમના વકીલોની સલાહ પર તે આ પદ છોડી દેશે. પોતાની પાર્ટીના કાર્યકર્તાઓની રેલીને સંબોધિત કરતા તેમણે જાહેરાત કરી હતી કે, કેટલાક લોકો કહે છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધોને કારણે અમે કામ કરી શકીશું નહીં. તેઓએ અમારા પર નિયંત્રણો લાદવામાં કોઈ કસર છોડી ન હતી. જો તમને લાગે કે હું પ્રામાણિક છું તો મને મોટી સંખ્યામાં મત આપજો. હું ચૂંટાયા પછી જ મુખ્ય પ્રધાનની ખુરશી પર બેસીશ. દિલ્હીમાં ચૂંટણી ફેબ્રુઆરીમાં યોજાવાની છે. હું મહારાષ્ટ્રની ચૂંટણી સાથે નવેમ્બરમાં ચૂંટણી કરાવવાની માંગ કરૂં છું. જ્યાં સુધી ચૂંટણી ન થાય ત્યાં સુધી પાર્ટીમાંથી કોઈ અન્ય વ્યક્તિ મુખ્ય પ્રધાન બનશે. આગામી બે-ત્રણ દિવસમાં ધારાસભ્યોની બેઠક યોજાશે, જેમાં આગામી મુખ્યમંત્રીની પસંદગી કરવામાં આવશે. તેમણે કહ્યું કે, મને કહેવામાં આવી રહ્યું છે કે આ કેસ દસ વર્ષ સુધી અથવા તો વધુ સમય સુધી લંબાઈ શકે છે. પણ હવે હું જનતાના દરબારમાં જઈશ. જો લોકોને લાગે કે હું ઈમાનદાર અને પ્રામાણિક છું અને મને ફરીથી ચૂંટશે, તો જ હું મુખ્ય પ્રધાનની ખુરશી પર પાછો ફરીશ. લોકોના આશીર્વાદથી અમારી પાસે ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ના તમામ ષડ્‌યંત્રનો સામનો કરવાની તાકાત છે. આજે, અમે દિલ્હી માટે ઘણું બધું કરી શક્યા છીએ કારણ કે અમે પ્રામાણિક છીએ. આમ આદમી પાર્ટી (AAP)ના કન્વીનરે કહ્યું કે આગામી મુખ્યમંત્રીનો નિર્ણય તેમની પાર્ટીના ધારાસભ્યોની બેઠકમાં કરવામાં આવશે. તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ કે પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયા આગામી ચૂંટણી સુધી નાયબ મુખ્ય પ્રધાન પદ સંભાળશે નહીં. કેજરીવાલને શુક્રવારે સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા હતા. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા આ વર્ષે માર્ચમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. સિસોદિયાને ૧૭ મહિના જેલમાં વિતાવ્યા બાદ કોર્ટે ગયા મહિને આ જ એક્સાઇઝ પોલિસી કેસમાં જામીન આપ્યા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts