ઇઝરાયેલ દ્વારા ગાઝા પર બોમ્બમારાથી આંતરરાષ્ટ્રીય ધોરણોનું ઉલ્લંઘન થયું છે

શું ઇઝરાયેલ દ્વારા ગાઝા પર ક્રૂર, અવિરત બોમ્બમારા પછી આ દુનિયા ક્યારેય પહેલા 
જેવી બની શકે છે ? લેખક પંકજ મિશ્રા આ પોડકાસ્ટમાં આ પ્રશ્નની ચર્ચા કરે છે

(એજન્સી)              તા.૧૭
ઇઝરાયલ દ્વારા ગાઝા પર બોમ્બમારાથી આંતરરાષ્ટ્રીય ધોરણોનો ભંગ થયો છે અને તેને સજા આપવામાંથી મુક્તિની સંસ્કૃતિ હવે સાર્વત્રિક બની ગઈ છે શું ઇઝરાયલ દ્વારા ગાઝા પર ક્રૂર, અવિરત બોમ્બમારા પછી દુનિયા ક્યારેય પહેલા જેવી બની શકે છે? આ પ્રશ્ન લેખક પંકજ મિશ્રા તેમના નવીનતમ પુસ્તક ‘ધ વર્લ્ડ આફ્ટર ગાઝા’માં લખે છે.મિશ્રાનું યોગ્ય સંશોધન સાથે લખાયેલ આ પુસ્તક અનેક દંતકથાઓનો ભંગ કરે છે, ખાસ કરીને તે કે ઇઝરાયલની રચના ૧૯૪૮માં હોલોકોસ્ટમાંથી બચી ગયેલા લોકો માટે સલામત સ્થાન પૂરું પાડવા માટે કરવામાં આવી હતી. તેનાથી વિપરીત, તેઓ લખે છે કે ત્યાં સ્થળાંતર કરનારા બચી ગયેલા લોકો સાથે યુરોપિયન યહૂદીઓ દ્વારા ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું. ત્યાં સ્થળાંતર કરનારા મોટાભાગના યહૂદીઓ આરબ દેશોના હતા જેઓ હોલોકોસ્ટ વિશે બહુ ઓછું જાણતા હતા.સિદ્ધાર્થ ભાટિયા સાથેના તેમના ઇન્ટરવ્યુમાં, મિશ્રાએ પણ વાત કરે છે કે પશ્ચિમી દેશોએ ઇઝરાયલને કેવી રીતે સંપૂર્ણ રીતે ટેકો આપ્યો છે, જેનાથી તે ઘણું બધું ગુમાવી શકે છે અને તેમના આ સમર્થન આપવાના લાંબા ગાળાના ખરાબ પરિણામો આવશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts