(એજન્સી) જેરૂસલેમ, તા.૪
ઇઝરાયેલની સૈન્યએ મંગળવારે દક્ષિણ લેબેનોનના એક ડઝનથી વધુ ગામડાઓ અને નગરોના રહેવાસીઓને તાત્કાલિક સ્થળાંતર કરીને ઉત્તર તરફ જવા ચેતવણી આપી હતી અને કહ્યું હતું કે તે હિઝબુલ્લાહ દ્વારા ત્યાં “યુદ્ધવિરામના ઉલ્લંઘન”નો જવાબ આપશે.ર સૈન્ય “તમને નુકસાન પહોંચાડવાનો ઇરાદો ધરાવતું નથી, અને તમારી સલામતીની ચિંતામાં, તમારે તાત્કાલિક તમારા ઘરો ખાલી કરીને સિડોન જિલ્લા તરફના નિર્દિષ્ટ વિસ્તારમાંથી દૂર જવાની જરૂર છે,” અરબી ભાષાના પ્રવક્તા અવિચે અદ્રેઈએ ઠ પર પોસ્ટ કરી. “હિઝબંલ્લાહ તત્વો, તેમની સુવિધાઓ અથવા તેમના શસ્ત્રો નજીક હાજર કોઈપણ વ્યક્તિ તેમના જીવનને જોખમમાં મૂકી રહ્યું છે,” તેમણે ઉમેર્યું. પોસ્ટમાં સૂચિબદ્ધ બધા વિસ્તારો કહેવાતા “યલો લાઇન” ની બહાર અથવા સરહદ પર હોય તેવું લાગે છે – જે સરહદની આસપાસ ૧૦ કિલોમીટર (છ માઇલ) ઊંડે લેબનીઝ પ્રદેશનો એક પટ્ટો છે જેમાં ઇઝરાયેલી સૈનિકો કાર્યરત છે. ઇઝરાયેલ અને ઈરાન સમર્થિત હિઝબુલ્લાહ આ મહિનાની શરૂઆતમાં સંમત થયેલા લેબેનોનમાં નાજુક યુદ્ધવિરામના ઉલ્લંઘન માટે એકબીજા પર દોષારોપણ કરે છે, અને બંને પક્ષો દ્વારા હુમલા ચાલુ રહ્યા છે. મંગળવારે સવારે બે ઘટનાઓમાં, ઇઝરાયેલી સૈન્યએ જણાવ્યું હતું કે “દક્ષિણ લેબનોનમાં IDF દળો કાર્યરત છે તેવા વિસ્તારમાં ઓળખાયેલા શંકાસ્પદ હવાઈ લક્ષ્ય તરફ એક ઇન્ટરસેપ્ટર છોડવામાં આવ્યું હતું.” બંને પ્રસંગોએ, તેણે કહ્યું હતું કે લક્ષ્ય ઇઝરાયેલી ક્ષેત્રમાં પ્રવેશ્યું ન હતું. સૈન્યએ મંગળવારે સવારે પણ જાહેરાત કરી હતી કે “દક્ષિણ લેબેનોનમાં ઓપરેશનલ પ્રવૃત્તિ દરમિયાન વિસ્ફોટક ડ્રોન અથડાવાના પરિણામે” એક સૈનિક ગંભીર રીતે ઘાયલ થયો હતો અને બીજો હળવો ઘાયલ થયો હતો. “આ ઘટના હિઝબુલ્લાહ આતંકવાદી સંગઠન દ્વારા યુદ્ધવિરામ સમજૂતીનું ઉલ્લંઘન છે,” તેણે જણાવ્યું હતું. ઇઝરાયેલી વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહૂએ સોમવારે જણાવ્યું હતું કે હિઝબુલ્લાહના રોકેટ અને ડ્રોન એક મુખ્ય ખતરો છે જેના માટે ઇઝરાયેલી સૈન્ય દ્વારા કાર્યવાહીની જરૂર છે, તેમણે ઉમેર્યું હતું કે ઇઝરાયેલ હુમલાઓ ચાલુ રાખી રહ્યું છે. ઇઝરાયેલી સર્વોચ્ચ નેતા અલી ખામેનાઈની હત્યાનો બદલો લેવા માટે હિઝબુલ્લાહે ૨ માર્ચે ઇઝરાયેલ તરફ રોકેટ છોડીને લેબેનોનને મધ્ય પૂર્વ યુદ્ધમાં ખેંચી લીધું.