ઈરાન ઈઝરાયેલને સજા કરશે, સીરિયામાં તેણે આચરેલા દુષ્ટઅપરાધ પર ઈઝરાયેલ પસ્તાશે : આયાતુલ્લાહ ખામેનાઈ

ઇસ્લામિક ક્રાંતિના નેતા આયાતુલ્લાહ સૈયદ અલી ખામેનાઈએ કહ્યું કે, બહાદુર ઈરાની માણસો ઇઝરાયેલને
‘સજા’ કરશે અને દુષ્ટ શાસનને સીરિયામાં દેશના લશ્કરી સલાહકારોની હત્યા કરવાના તેના ગુના માટે ‘પસ્તાવો’ કરાવશે

(એજન્સી) તા.૭
ઇઝરાયેલી હવાઈ હુમલાએ દમાસ્કસમાં ઈરાનના વાણિજ્ય દૂતાવાસની ઇમારતને નષ્ટ કર્યા બાદ અને ઈસ્લામિક રિવોલ્યુશન ગાડ્‌ર્સ કોર્પ્સ (ૈંઇય્ઝ્ર)ના સાત લશ્કરી સલાહકારોને માર્યા ગયાના એક દિવસ પછી આયાતુલ્લાહ ખામેનાઈએ જારી કરેલા સંદેશમાં જાહેરાત કરી હતી. નેતાએ જણાવ્યું હતું કે, ૈંઇય્ઝ્રના કુદ્‌સ ફોર્સના કમાન્ડર બ્રિગેડિયર જનરલ મોહમ્મદ રેઝા ઝાહેદી અને તેમના ડેપ્યુટી જનરલ મોહમ્મદ હાદી હાજી રહીમી, ઝિઓનિસ્ટ શાસન દ્વારા આચરવામાં આવેલા ‘હડપ કરનાર અને ધિક્કારપાત્ર’ અપરાધમાં શહીદ થયા હતા. નેતાએ ઉમેર્યું કે, “દુષ્ટ શાસનને આપણા બહાદુર માણસો દ્વારા સજા કરવામાં આવશે. અમે તેમને આ ગુના અને અન્ય ગુનાઓ માટે, ભગવાનની ઇચ્છાથી પસ્તાવો કરાવીશું.” નોંધનીય છે કે, ઈરાનીઓ ૈંઇય્ઝ્ર સલાહકારોની શહાદતના ભારે દુઃખ સાથે સંઘર્ષ કરી રહ્યા છે. નેતાએ આતંકવાદી હુમલાના પીડિતો માટેઈશ્વરની દયાની ઇચ્છા કરી અને ‘દમનકારી અને આક્રમક’ ઇઝરાયેલ શાસનના નેતાઓની નિંદા કરી હતી. ઇઝરાયેલના યુદ્ધ વિમાનોએ દમાસ્કસના મેઝેહ જિલ્લામાં દૂતાવાસની ઇમારતની બાજુમાં સ્થિત ઇરાની કોન્સ્યુલેટ પર બોમ્બમારો કર્યો હતો. ઈરાની અધિકારીઓએ તમામ આંતરરાષ્ટ્રીય જવાબદારીઓ અને સંમેલનોનું ઉલ્લંઘન કરતા ઈઝરાયેલના ગુનાનો સખત જવાબ આપવાનું વચન આપ્યું છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts