કર્ણાટક સરકારે ભાજપના દાવાને ફગાવતા કહ્યું ફક્ત ૯ હિન્દુઓનાં મૃત્યુ જ રમખાણોમાં થયા હતા

(એજન્સી) બેંગાલુરૂં, તા.૩૦
ભાજપાએ કોંગ્રેસની સિદ્ધારમૈયાની આગેવાની હેઠળની સરકાર ઉપર હુમલો કરતાં જણાવ્યું છે કે એમના શાસન દરમ્યાન ઘણા બધા હિન્દુઓની હત્યાઓ થઈ છે. એમણે આક્ષેપો મૂક્યા છે કે આ સરકાર હિન્દુ વિરોધી છે.
કર્ણાટક સરકારના મંત્રી રામાસિંગા રેડ્ડીએ જણાવ્યું છે કે અમોએ પ્રત્યેક કેસની વિગતવાર તપાસ કરાવી છે. જેમાંથી જાણવા મળ્યું છે કે આ બધી હત્યાઓમાંથી મોટાભાગની હત્યાઓ હિન્દુઓ દ્વારા જ હિન્દુઓની કરાઈ હતી. જેમાં અંગત કારણો હતા. જે પ્રમાણે ભાજપ ર૩ હત્યાઓનો આક્ષેપ મૂકે છે. એમાંથી ૧૩ ઘટનાઓ કોમી ન હતી અને એક વ્યક્તિ હજી જીવિત છે. એવા ૯ હિન્દુઓ છે જેમની હત્યા મુસ્લિમે કરી હતી.
રેડ્ડીએ જણાવ્યું કે મેં બધી માહિતી ગૃહમાં રજૂ કરી હતી હું ખોટું નથી બોલી રહ્યો. આ માહિતી ઇ્‌ૈં હેઠળ પણ તમને મળી શકે છે. રેડ્ડીએ કબૂલ્યું હતું કે કટ્ટરવાદી મુસ્લિમ સંગઠનો પીએફઆઈ અને એસડીપીઆઈના સંબંધો ૯ હિન્દુઓની હત્યામાં હતા. પણ આમાં એક પણ કોંગ્રેસી કાર્યકરનો હાથ ન હતો. એમણે કહ્યું કે ભાજપ નેતા શોભા કરાન્દલ જેઓએ કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહને ર૩ હિન્દુઓની યાદી મોકલી હતી જેમની હત્યા થઈ હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts