(એજન્સી) તા.૨૧
પેલેસ્ટીની ડોક્ટરો અને બચાવ ટીમોએ ગાઝા પટ્ટીમાં કાટમાળમાંથી ૨૨ વધુ મૃતદેહો મેળવ્યા છે, આરોગ્ય મંત્રાલયે ગુરૂવારે જણાવ્યું કે, ઓકટોબર ૨૦૨૩થી ઇઝરાયેલના નરસંહાર યુદ્ધમાં મૃત્યુની કુલ સંખ્યા ૪૮,૩૧૯ પર પહોંચી ગઈ છે. મંત્રાલયના એક નિવેદનમાં જણાવ્યું છે કે, પાછલા ૨૪ કલાકમાં ૧૬ ઘાયલ લોકોને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જે ઇઝરાયેલના હુમલામાં ઘાયલ થયેલા લોકોની સંખ્યા ૧,૧૧,૭૪૯ પર લાવે છે. મંત્રાલયે જણાવ્યું કે, ઘણા પીડિત લોકો હજુ પણ કાટમાળ નીચે અને રસ્તાઓ પર ફસાયેલા છે કારણ કે, બચાવ ટીમો તેમના સુધી પહોંચવામાં અસમર્થ છે. ગાઝામાં ૧૯ જાન્યુઆરીથી યુદ્ધવિરામ સમજૂતી અમલમાં છે, જે ઇઝરાયેલી યુદ્ધને અટકાવે છે જેણે પેલેસ્ટીની પ્રદેશમાં વ્યાપક વિનાશ અને તબાહી સર્જી છે. યુદ્ધવિરામ હોવા છતાં ગાઝામાં સ્થાનિક સત્તાવાળાઓએ ઇઝરાયેલી દળો દ્વારા લગભગ દરરોજ યુદ્ધવિરામના ઉલ્લંઘનની જાણ કરી હતી. ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ગયા વર્ષે નવેમ્બરમાં ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુ અને તેમના પૂર્વ સંરક્ષણ મંત્રી યોઆવ ગેલેન્ટ વિરુદ્ધ ગાઝામાં યુદ્ધ અપરાધો અને માનવતા વિરુદ્ધના અપરાધો માટે ધરપકડ વોરંટ જારી કર્યું હતું. ઇઝરાયેલને એન્ક્લેવ પરના યુદ્ધ માટે ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં નરસંહારના કેસનો પણ સામનો કરવો પડી રહ્યો છે.
કાટમાળમાંથી વધુ મૃતદેહો મળી આવતાગાઝામાં મૃત્યુઆંક ૪૮,૩૦૦ને પાર
