ગાઝા ચર્ચ પર ઇઝરાયેલી હુમલાના પગલે ‘આ હત્યાકાંડ રોકવાનો સમય છે’ : પોપ લીઓ

(એજન્સી)                               તા.૧૯
પોપ લીઓએ શુક્રવારે ગાઝામાં હિંસાનો તાત્કાલિક અંત લાવવા માંગ કરી, જેરૂસલેમના લેટિન પેટ્રિઆર્કના જણાવ્યા અનુસાર એન્ક્‌લેવના પવિત્ર કુટુંબ કેથોલિક ચર્ચ પર ઇઝરાયેલના ઘાતક હુમલાને ‘અયોગ્ય’ ગણાવીને વખોડી કાઢ્યો હતો. ગ્રીક ઓર્થોડોક્સ પેટ્રિઆર્ક થિયોફિલોસIII સાથે ગાઝાના એકમાત્ર કેથોલિક પેરિશ, હોલી ફેમિલી કેથોલિક ચર્ચની મુલાકાત લીધા પછી, કાર્ડિનલ પિઅરબેટિસ્ટા પિઝાબાલ્લાએ જણાવ્યું કે પોપે તેમની ચિંતા વ્યક્ત કરવા માટે મુલાકાત દરમિયાન વ્યક્તિગત રીતે તેમને બોલાવ્યા હતા. પિઝાબાલાએ જણાવ્યું કે, ‘પોપ લીઓએ વારંવાર જણાવ્યું કે આ હત્યાકાંડને રોકવાનો સમય આવી ગયો છે, જે થયું તે ગેરવાજબી છે અને આપણે ખાતરી કરવી પડશે કે વધુ કોઈ પીડિત ન હોય. તેમણે જણાવ્યું કે પોપે તેમની ‘નિકટતા, સંભાળ, પ્રાર્થના, સમર્થન અને યુદ્ધવિરામ જ નહીં પરંતુ આ દુર્ઘટનાનો અંત લાવવા માટે શક્ય તેટલું બધું કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે.’ આ મુલાકાત એક દિવસ પછી આવે છે જ્યારે ઇઝરાયેલી ટેન્ક શેલ પેરિશને ફટકાર્યો હતો, જેમાં પેરિશના પાદરી ફાધર ગેબ્રિયલ રોમનેલી સહિત ત્રણ લોકો મૃત્યુ પામ્યા અને ૧૦ અન્ય ઘાયલ થયા હતા. હોલી ફેમિલી ચર્ચે લગભગ ૬૦૦ નાગરિકોને આશ્રય આપ્યો હતો, જેમાં ખાસ જરૂરિયાતવાળા બાળકોનો સમાવેશ થાય છે. પિઝાબાલાએ પોપનો તેમની એકતા અને પ્રાર્થના માટે આભાર માન્યો જે તેમણે અમને પહેલેથી જ વચન આપ્યું હતું. ગાઝામાં સમગ્ર કેથોલિક સમુદાય આ માટે આભારી છે. તેમણે જણાવ્યું કે વૈશ્વિક પ્રતિનિધિમંડળે ખોરાક અને તબીબી પુરવઠો સહિત સેંકડો ટન માનવતાવાદી સહાય પહોંચાડી અને ઘાયલોને સારવાર માટે ગાઝામાંથી બહાર કાઢવામાં મદદ કરી. એક અલગ સંયુક્ત નિવેદનમાં, જેરૂસલેમમાં ચર્ચના વડાઓ અને ધાર્મિક નેતાઓએ હુમલાની ટીક કરી. અમે સંપૂર્ણ એકતા સાથે આ ગુનાની સખત ટીકા કરીએ છીએ. ‘પૂજાના સ્થાનો પવિત્ર સ્થાનો છે જેનું રક્ષણ કરવું આવશ્યક છે. તેઓ આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ પણ સુરક્ષિત છે. ખાસ જરૂરિયાતો ધરાવતા બાળકો સહિત લગભગ ૬૦૦ શરણાર્થીઓ રહેતા ચર્ચને નિશાન બનાવવું એ આ કાયદાઓનું ઉલ્લંઘન છે. તે માનવ ગરિમાનું અપમાન છે, માનવ જીવનની પવિત્રતાને કચડી નાખે છે અને પવિત્ર સ્થળની અપવિત્રતા છે.’

]]>

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts