‘ઘણા લોકો મૃત્યુ પામશે’ : સંયુક્ત રાષ્ટ્રના સહાય પ્રમુખે માનવતાવાદી રાહત કાપના કારણે પરિણામની ચેતવણી આપી

(એજન્સી)                         તા.૧૪
સંયુક્ત રાષ્ટ્ર માનવતાવાદી કાર્યાલયના પ્રમુખ ટોમ ફ્લેચરે પત્રકારોને જણાવ્યું કે ૩૦ કરોડ લોકોને સહાયની જરૂર છે, અને માનવતાવાદી ભંડોળમાં તાજેતરના કાપ વૈશ્વિક સ્તરે ‘સિસ્મિક આંચકો’ મોકલી રહ્યા છે. તેમણે જણાવ્યું કે ‘સહાય સમાપ્ત થતાં ઘણા લોકો મૃત્યુ પામશે,’ ફ્લેચર, માનવતાવાદી બાબતોના સંયુક્ત રાષ્ટ્રના અંડર-સેક્રેટરી-જનરલ અને કટોકટી રાહત સંયોજક, બુધવારે ન્યુ યોર્કમાં યુએન હેડક્વાર્ટર ખાતે એક ન્યૂઝ કોન્ફરન્સમાં જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે ‘માનવતાવાદી સમુદાયમાં, કાર્યક્રમો હમણાં બંધ કરવામાં આવી રહ્યા છે. કર્મચારીઓને અત્યારે છૂટા કરવામાં આવી રહ્યા છે. મને લાગે છે કે ફેબ્રુઆરી દરમિયાન ૧૦ ટકા દ્ગર્ય્ં સાથીદારોને છૂટા કરવામાં આવ્યા હતા,’ તેમણે બિન-સરકારી સહાય સંસ્થાઓ માટે કામ કરતા લોકોનો ઉલ્લેખ કરતા જણાવ્યું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts