Site icon Gujarat Today

છેતરપિંડીના કેસમાં ઝ્રમ્ૈં તપાસ વચ્ચે દલિત કર્મચારીએ જીવનનો અંત આણ્યો

(એજન્સી) નવી દિલ્હી, તા.૨૪
બુલંદશહેરમાં એક દલિત પોસ્ટ ઓફિસના કર્મચારીએ કથિત રીતે ૨.૫ કરોડ રૂપિયાની ઉચાપતના કેસમાં CBIએ તેની પૂછપરછ કર્યાના એક દિવસ પછી, રવિવારની વહેલી સવારે ટ્રેનની સામે કૂદીને કથિત રીતે પોતાનું જીવનનો અંત આણ્યો. લાખોઠી બ્લોક પોસ્ટ ઓફિસના સબ-પોસ્ટમાસ્ટર અને બુલંદશહર શહેર વિસ્તારના રહેવાસી રાહુલ કુમાર (૧૮) ગિરધારી નગર વિસ્તારમાં રેલવે ટ્રેક પર મૃત હાલતમાં મળી આવ્યો હતો. કુમારને ૨૬ નવેમ્બરે ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. થોડાં સમય પછી, તેની સામે ભ્રષ્ટાચારના આરોપો મૂકવામાં આવ્યા હતા, જેના કારણે શનિવારે તેની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. તેના પિતરાઈ ભાઈ અંકિત કુમારે કહ્યું, રાહુલ ખૂબ જ તણાવમાં હતો. તેનું માનવું હતું કે તે પોતાને નિર્દોષ સાબિત કરી શકશે નહીં, જેના કારણે તેણે આત્યંતિક પગલું ભર્યું. પોલીસે કહ્યું કે, તેના ખિસ્સામાંથી મળેલી સુસાઈડ નોટમાં રાહુલે નિર્દોષ હોવાનો દાવો કર્યો હતો અને તેના સાથીદારો પર ઉત્પીડન અને જાતિ ભેદભાવનો આરોપ લગાવ્યો હતો. એસપી (શહેર) શંકર પ્રસાદે કહ્યું, તેણે લખ્યું, એક વરિષ્ઠ મહિલા સાથીદારે ઓફિસમાં તેના લગ્નેતર સંબંધનો પર્દાફાશ કર્યા પછી મને હેરાન કર્યો. તેણીએ જાતિવાદી અપશબ્દોનો ઉપયોગ કર્યો અને મને ભ્રષ્ટાચારના ખોટા કેસમાં ફસાવ્યો. સુસાઇડ નોટમાં લગાવવામાં આવેલા આરોપોની તપાસ કરવામાં આવી રહી છે. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો. બુલંદશહેર હેડ પોસ્ટ ઓફિસના સુપરિન્ટેન્ડેન્ટ ત્રિભુવન પ્રસાદ સિંઘ (૫૫) સાથે સંકળાયેલા સમાન કેસના મહિનાઓ પછી આ ઘટના બની છે. સિંહે ૨૧ ઓગસ્ટે અલીગઢ સ્થિત તેમના નિવાસસ્થાને રાઇફલ વડે ગોળી મારી હતી.

Exit mobile version