જેરૂસલેમમાં ચર્ચ ઓફ ધ વિઝિટેશનની બહાર ઇઝરાયેલીવસાહતીઓએ ‘બદલો’ સંદેશાઓ ચારે તરફ લગાડ્યા

(એજન્સી) લંડન, તા.૨૦
ગુરૂવારે ઇઝરાયેલી વસાહતીઓએ જેરૂસલેમના પશ્ચિમ ભાગમાં આવેલા આઈન કરેમમાં ચર્ચ ઓફ ધ વિઝિટેશનમાં તોડફોડ કરી હતી, પેલેસ્ટીન ઓથોરિટીના જેરૂસલેમ ગવર્નરેટે અહેવાલ આપ્યો છે કે, ઉગ્રવાદીઓએ આઈન કરેમમાં ચર્ચની દિવાલો અને પાર્ક કરેલા વાહનોમાં તોડફોડ કરી હતી, જે ૧૯૪૮ પહેલા પેલેસ્ટીની ગામ હતું. કેથોલિક ચર્ચની બાહ્ય દિવાલ પાસે લાલ સ્પ્રે પેઇન્ટમાં હિબ્રુ ભાષામાં ગ્રેફિટી બતાવે છે જેમાં લખ્યું છેઃ “બદલો,” “ઇઝરાયેલનો રાજા ડેવિડ જીવે છે અને ટકી રહે છે,” અને “(યહૂદી) મસીહા અહીં છે !”. ધ ટાઇમ્સ ઓફ ઇઝરાયેલના અહેવાલ મુજબ, ઇઝરાયેલી પોલીસે જાહેરાત કરી છે કે તેઓ “રાષ્ટ્રવાદી ગ્રેફિટી”ની તપાસ કરી રહ્યા છે અને તોડફોડ કરનારાઓને શોધવા માટે પુરાવા એકત્રિત કરવાનું શરૂ કરી દીધું છે. ગવર્નરેટે જણાવ્યું હતું કે, આ તોડફોડ ઇઝરાયેલી વસાહતીઓ દ્વારા જેરૂસલેમમાં ધાર્મિક સ્થળો સામે વધતા ઉલ્લંઘનોનો એક ભાગ છે, જેમાં ચર્ચ અને મસ્જિદોમાં ઘૂસણખોરી અને ઐતિહાસિક અને ધાર્મિક સ્થળોનું અપમાન શામેલ છે. વસાહતીઓ સામાન્ય રીતે કબજા હેઠળના પશ્ચિમ કાંઠા અને પૂર્વ જેરૂસલેમમાં પેલેસ્ટીન મિલકતો પર હુમલા દરમિયાન ગ્રેફિટી સ્પ્રે કરે છે, જ્યાં ઓક્ટોબર ૨૦૨૩થી, આવા હુમલાઓમાં તીવ્ર વધારો થયો છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts