તમિલનાડુ : દલિતોની મંદિર મંડગપડી માટે સમાન અધિકારની માગણી

(એજન્સી) હૈદરાબાદ, તા.૧૪
અહીંના નમાસિવાયપુરમ પંચાયતમાં સેમ્બોનકુડીના સેંકડો દલિત ગ્રામજનોએ મંગળવારના દિવસે રસ્તા રોકો આંદોલન કર્યું હતું, જો તેઓને ચિથિરાઈ તહેવાર પર HR&CE વિભાગના વહીવટ હેઠળના સ્થાનિક મંદિરમાં પૂજા કરવાનો સમાન અધિકાર આપવામાં નહીં આવે તો આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ધમકી આપી હતી.
તેઓએ આરોપ લગાવ્યો કે ૧૪ એપ્રિલે યોજાનાર ચિથિરાઈ તહેવાર પર સેમ્બોનકુડીના શ્રી મરિયમ્માન મંદિરમાં મંડગપડી નામના રિવાજ દ્વારા મ્ઝ્ર જાતિના લોકો પૂજા કરવાના તેમના અધિકારોને નકારી રહ્યાં છે. અમે મંદિરમાં અભિષેક માટે યોગદાન આપ્યું છે.એક ગ્રામીણે કહ્યું,મ્ઝ્ર સમુદાયના લોકો અમને અમારી મંડગપડી કરવા દેવાનો ઇનકાર કરે છે કારણ કે અમે અનુસૂચિત જાતિ સમુદાયના છીએ. જો અમને અમારી મંડાગપડી નહીં મળે, તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું. નમાસિવાયપુરમ પંચાયતમાં ત્રણ ગામો છે-કલ્યાણચોલાપુરમ, નમાસિવાયપુરમ અને સેમ્બોનકુડી. એક મહેસૂલ અધિકારીએ જણાવ્યું હતું કે,ગામડાઓમાં અનુસૂચિત જાતિ સમુદાયની વસ્તી સૌથી વધુ છે. જીઝ્ર ગ્રામજનોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે, મ્ઝ્ર સમુદાયના લોકો તેમને શેરીઓમાં સરઘસમાં દેવતાની મૂર્તિ લઈ જવા દેવાનો ઇનકાર કરી રહ્યા છે જ્યાં જીઝ્ર સમુદાયના લોકો મુખ્યત્વે રહે છે. મહેસૂલ અને પોલીસ વિભાગના અધિકારીઓ સેમ્બોનકુડી પહોંચ્યા અને ગ્રામજનોને શાંત પાડ્યા. તેઓએ બંને સમુદાયો વચ્ચેના મુદ્દાનું સમાધાન કરાવાની ખાતરી આપી હતી. સેમ્બોનકુડીમાં શ્રી મરિયમન મંદિર HR&CE વિભાગ હેઠળ છે. જ્યારેTINE દ્વારા સંપર્ક કરવામાં આવ્યો ત્યારે, માયલાદુથુરાઈમાં HR&CE વિભાગના જોઈન્ટ કમિશનર એસ મોહનસુંધરમે કહ્યું, મંડગપડી જેવા મંદિરના રિવાજોમાં પૂજા કરવાનો અધિકાર જાતિના આધારે કોઈને નકારી શકાય નહીં. જો ગ્રામજનો ફાળો આપતા હોય તો કોઈ વાંધો નથી. અધિકારીએ ઉમેર્યું હતું કે,મૂર્તિનું સરઘસ કોઈપણ સમસ્યા વગર સરળતાથી પસાર થશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts