રચકોંડા પોલીસના જણાવ્યા અનુસાર, લિંગૈયા ૨૦૧૭માં બીસી સમુદાયના વ્યક્તિની હત્યાના આરોપમાં જેલમાં ગયા હતા અને ત્રણ મહિના પછી જેલમાંથી બહાર આવ્યા હતા
(એજન્સી) નાલગોંડા, તા.૧૯
એસસી/એસટી (અત્યાચાર નિવારણ) કાયદા હેઠળ વિશેષ સત્ર અદાલતે ૨૦૧૭માં ભોંગીર જિલ્લાના અદ્દાગુદુર મંડળના અજીમપેટમાં દલિત યુવાન બટ્ટા લિંગૈયાની હત્યાના આરોપમાં ૧૭ લોકોને આજીવન કેદની સજા ફટકારી છે. રચકોંડા પોલીસના જણાવ્યા અનુસાર, લિંગૈયા ૨૦૧૭માં બીસી સમુદાયના વ્યક્તિની હત્યાના આરોપમાં જેલમાં ગયા હતા અને ત્રણ મહિના પછી જેલમાંથી બહાર આવ્યા હતા. બદલો લેવા માટે, મૃતકના ૧૭ સંબંધીઓએ ગામમાં દશેરા ઉજવણીમાં ભાગ લેવા જઈ રહેલા લિનાગૈયાની હત્યા કરી હતી. બીજા હત્યા કેસમાં, નાલગોંડાના એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ-ૈૈંૈંં અને ફેમિલી કોર્ટના જજ ડી. દુર્જા પ્રસાદે પાંચ લોકોને આજીવન કેદની સજા ફટકારી છે. કોર્ટમાં સાબિત થયું કે સોમા સાવતીએ તેના પ્રેમી દુબ્બા પ્રદીપ અને તેના મિત્રો કોડિદેતી શિવ કુમાર, કુંભમ પ્રસાદ અને ચિંતાપલ્લી નાગેશની મદદથી ૧ જુલાઈ, ૨૦૧૯ના રોજ તેના પતિ કેશવુલુની હત્યા કરી હતી. બીજા એક બદલો લેવાના કેસમાં, ભોંગિરના એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજે ૧૮ ફેબ્રુઆરી, ૨૦૨૪ના રોજ બીબીનગરમાં એક વ્યક્તિની હત્યા કરવા બદલ શેટ્ટી શ્રીશૈલમને આજીવન કેદની સજા ફટકારી હતી. શ્રીશૈલમને એક પુરૂષ સામે એવી ગેરસમજ થઈ હતી કે તેણે તેની અને તેની પત્ની વચ્ચે મતભેદો ઉભા કર્યા હતા. શ્રીશૈલમે કાવતરૂં ઘડી તેની હત્યા કરી નાખી હતી.