દલિત સંગઠનોએ પ્રિયંક ખડગે વિરૂદ્ધભાજપની ટિપ્પણીનો વિરોધ કર્યો, નિંદા કરી

તેઓ કહે છે કે, ભાજપના નેતાઓ વ્યક્તિગત હુમલાઓનો આશરો લઈ રહ્યા છે અને RSSના પ્રશ્નો માટે મંત્રી પર ધમકીભર્યા નિવેદનો આપી રહ્યા છે

(એજન્સી) તા.૨૮
દલિત સંગઠનેગલા સમન્વય સમિતિ અને અન્ય દલિત સંગઠનોના સભ્યોએ ગુરૂવારે કલબુર્ગીમાં ડેપ્યુટી કમિશનરની ઓફિસની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની સ્થિતિ અને કાર્યપદ્ધતિ અંગે ગૃહમંત્રી પ્રિયંક ખડગે દ્વારા તાજેતરમાં પૂછવામાં આવેલા પ્રશ્નો બાદ અનેક ભાજપ નેતાઓ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓની નિંદા કરી હતી. પ્રદર્શનોકારોએ કહ્યું હતું કે, ખડગે દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓનો જવાબ આપવાને બદલે ભાજપના નેતાઓ વ્યક્તિગત હુમલાઓનો આશરો લઈ રહ્યા છે અને તેમની સામે ધમકીભર્યા નિવેદનો આપી રહ્યા છે. આંદોલનકારોએ કહ્યું હતું કે, ભાજપના સાંસદ રમેશ જીગાજીનાગી અને પૂર્વ મંત્રીઓ કે.એસ. ઈશ્વરપ્પા અને સી.ટી. રવિ દ્વારા ખડગે વિરૂદ્ધ કરવામાં આવેલ નિવેદન અપમાનજનક અને ધમકીભર્યું છે. તેઓએ રાજ્ય સરકારને આવી ટિપ્પણીઓની ગંભીર નોંધ લેવા અને લોકશાહી મૂલ્યો અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનું રક્ષણ કરવા વિનંતી કરી હતી. ખડગેએ તાજેતરમાં ઇજીજી વડા મોહન ભાગવતને લખેલા પત્રનો ઉલ્લેખ કરીને સંગઠનની નોંધણી અને જણાવેલા ઉદ્દેશ્યો અંગે સ્પષ્ટતા માંગી હતી, જેનો ઉલ્લેખ કરીને વિરોધીઓએ દલીલ કરી હતી કે, આ પ્રશ્નો પારદર્શિતા અને જાહેર જવાબદારીના હિતમાં ઉઠાવવામાં આવ્યા છે અને તે કોઈ વ્યક્તિ પર નિર્દેશિત નથી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts