દલિત સંઘર્ષ એક સર્વવ્યાપી સંઘર્ષ છે

વિક્રાંત ભીસેના કાર્યો તેમણે વ્યક્ત કરેલ ન્યાય અને સમાનતાની આશા સાથે જોડાયેલા છે

(એજન્સી) તા.૧૩
એવી પરંપરાઓ છે જેને લોકો દ્વારા જાળવી રાખવામાં આવે છે જેઓ વિશ્વમાં પોતાને અસ્તિત્વને સાકાર કરવા માટે તેમના વંશને દિશા પ્રદાન કરે છે. પરંતુ પરંપરાઓ સદીઓથી ચાલતી આવતી હોય તે જરૂરી નથી; કેટલીકવાર તેઓ કાલ્પનિક કથાઓ પર પણ આધારિત હોય છે જે ભૂતકાળ અને પૂર્વજોના જીવનની ભવ્યતાને રજૂ કરે છે. કેટલીક પરંપરાઓ લોકોની કાલ્પનિક કથાઓ પર બાંધવામાં આવે છે; કેટલાક કલ્પના અને સાપેક્ષ સત્યને જોડે છે. ઈતિહાસકાર એરિક હોબ્સબૉમે વિખ્યાત રીતે પરંપરા શું છે અને રિવાજો કેવી રીતે બનાવવામાં આવે છે તેના પર ટિપ્પણી કરી હતીઃ તેમણે પરંપરાને ભૂતકાળ સાથેનો સતત સંબંધ હોવાની દલીલને નકારી કાઢી હતી અને કહયુ હતું પરંપરા કેટલીકવાર ભૂતકાળની અવારનવાર બનતી ઘટનાઓની યાદોને શોધી કાઢીને સ્થાપિત કરવામાં આવે છે.
પ્રોસ્ટિયન સિદ્ધાંતમાં યાદ એ ભજવી શકાય તેવું નાટક છે. વ્યક્તિ ભૂતકાળને યાદ કરે છે અને યાદરૂપે ભૂતકાળને ભજવે છે અને આ પ્રક્રિયા દરમ્યાન તે તેનું વર્તમાન સાથે અનુસંધાન સાધીને આનંદ મેળવે છે. પરિણામે, ઘણીવાર, આ યાદો વ્યક્તિની ઇચ્છાઓનું મનોરંજન છે. આ ક્રિયાઓ એવા ભૂતકાળ માટે જવાબદાર છે જે આપણે ઈચ્છીએ છીએ. જેમ કે કેટલીક કહેવતો અને ટૂચકાઓ .
પરંતુ ’વિકસિત’ વિશ્વના ખૂણે-ખૂણે અવિચારી રીતે ધકેલાઈ ગયેલા ઘણા લોકો પાસે તેમની યાદોને સાહિત્યમાં ફેરવવાની કોઈ સાધન કે તક નથી. તેમની વાર્તા અને તે વાર્તા કહેવાના માધ્યમો એમ બંને લૂંટી લેવામાં આવ્યા છે. તેમ છતાં, જ્યારે તેમના મન પર કબજો જમાવી દેવામાં આવ્યો હોય અને તેમની યાદોને નોંધવામાં ન આવી હોય તેમ છતાં પણ મનમાં સંગ્રહ કરવામાં આવેલી આ યાદોને ચોરી શકવામાં આવતી નથી. જ્યારે સ્મૃતિ રાજકીય રંગ ધારણ કરે છે છે, ત્યારે તે પ્રતિક્રિયાશીલ તબુલા રસ સામેની હાકલમાં પરિવર્તિત થઈ જાય છે.. આપણામાંના ઘણા લોકો માટે સ્મૃતિ એ સુત્તો, કવિતાઓ, મહાકાવ્યો અને મૌખિકતા દ્વારા સાચવેલ પૂર્વજોની ભેટ છે. આ મોડેલને કામ કરવા માટે બદલાવ માટે સક્ષમ મનની ક્ષમતામાં અવિશ્વસનીય વિશ્વાસની જરૂર છે. ક્ષણિક વાસ્તવિકતાઓમાં ઉચ્ચ, સરળ ન હોય તેવા અર્થો ઉમેરવા માટે આપણે આપણાં મનમાં તેનું રિહર્સલ કરીએ છીએ. ભારતમાં દલિત સમુદાય કાયદા તરીકે લખવામાં આવેલા સામંતવાદી, બ્રાહ્મણવાદી હુકમોના ગાંડપણ સામે સતત લડતો રહ્યો છે. આપણે આપણી સહનશક્તિને કળાના માધ્યમ અને દલિત પેન્થર્સ અથવા સમતા સૈનિક દળ (દલિત સમાજ સુધારક ભીમરાવ રામજી આંબેડકર દ્વારા સ્થપાયેલ અને ભારતના દલિત લોકોના અધિકારોને બચાવવા માટે સમર્પિત સંરક્ષણ સંસ્થા) ના કાર્યો દ્વારા વર્ણવી છે.. આપણો સામાજિક ઈતિહાસ આપણી સ્મૃતિઓમાં નોંધાયેલો છે પણ હજુ સુધી તેને નોંધીને સાચવવામાં આવ્યો નથી. જાતિવિરોધી, કાર્યકર્તા પૃષ્ઠભૂમિથી સજ્જ લગભગ દરેક દલિત કલાકારે દલિત શોષણને જોવાનું શક્ય બનાવ્યું છે. આ છેલ્લી વ્યક્તિઓમાં કલાકાર વિક્રાંત ભીસે છે, જેમની અલંકારિક પેઇન્ટિંગ ઉત્તર પ્રદેશના નોઇડામાં અનંત આર્ટ ગેલેરીમાં પ્રદર્શનમાં હતી. વિક્રાંત મોટા કેનવાસ પર કામ કરે છે. વિષયની તેમની પસંદગી શહેરી અને તેમના જીવનના અનુભવો સુધી મર્યાદિત છે. તેમનો વિષય અસ્પૃશ્ય છે પરંતુ તમને અહીં ગ્રામ્ય વિસ્તારની અલગ-અલગ ગંદકી જોવા મળશે નહીં. સંવેદના અને સંવેદનાઓમાં વિવિધ કાર્યોઃ તેઓ વ્યક્ત કરે છે કે એક પ્રતિબિંબિત અનુભૂતિ ન્યાય અને સમાનતા માટેની આશા સાથે આશાવાદી અને વ્યંગાત્મક રીતે બંધારણવાદી માળખા અને સરકાર સાથે સંલગ્ન છે. વિક્રાંતે સમકાલીન ભારતની સામાજિક વાર્તામાં રહેલ ક્ષતિને સુધારી છે. ચૈત્યભૂમિઃ એસેમ્બલી ઓફ પરિનિબ્બન ઓફ ગ્રેટ બીઇંગ (૨૦૨૩) એ મુંબઈમાં તે સ્થળનો ઉલ્લેખ કરે છે જ્યાં આંબેડકરનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો અને ડિસેમ્બરમાં બે દિવસમાં વિશ્વભરમાંથી એક મિલિયનથી વધુ મુલાકાતીઓ તેમની મૃત્યુની વર્ષગાંઠ નિમિત્તે મુલાકાત લે છે. પેઇન્ટિંગના કેન્દ્રમાં બજાર છે અને માનવ મહેરામણ છે. . ક્ષિતિજ પર એક સુમસામ જંગલ છે, કારણ કે કોંક્રિટના જંગલોને બદલે વિક્રાંતે બુદ્ધના સંઘને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે માનવ સમુદાય દ્વારા પર્યાવરણને આલિંગન આપવામાં આવી રહ્યું હોય તેવું નિરૂપણ કર્યું છે જે ચિત્રમાં છે, એક સ્ટોલની ઉપર, મધ્ય-જમણી બાજુએ દ્રશ્યમાન છે.તેમની તાજેતરની ઘણી કૃતિઓની જેમ તે સેર્યુલિયન વાદળીના વાતાવરણથી ભરેલું છે. તે તેના રાજકારણની ખાતરી કરાવે છે. વાદળી એ વિશાળ, વિસ્તરતા, સામાન્ય આકાશનું રૂપક છે, જે બેઘર અને નિરાધારો માટે છત સમાન છે અને તે દલિત લોકોની ક્રાંતિનું પણ આહ્વાન છે. ખરેખર વિક્રાંત તેની તપાસના ઉદ્દેશ્ય તરીકે એકતા અને સંઘર્ષ ધરાવે છે. તેમની આર્કાઇવલ હિસ્ટોરિસીટી/દલિત પેન્થર્સ શ્રેણી (૨૦૨૩; પિરામિડમાં ગોઠવાયેલા ૧૦૦ ગૌચે ચિત્રો) ચળવળનો ઇતિહાસ, તેના ઉદય અને પતનને નજીકના ફ્રેમ્સ દ્વારા વર્ણવે છે. પરંતુ વિક્રાંત માત્ર દલિત સંઘર્ષને રંગતો નથી. માર્ટિન લ્યુથર કિંગ જુનિયર અને પેલેસ્ટાઈન (ઉદાહરણ તરીકે ,ગાઝા અરાજકતાઃ મહિલા અને બાળકો, ૨૦૨૩ ઉદાહરણ)ને જોતા, તેમનું કાર્ય અમેરિકામાં સંઘર્ષ સુધી ફેલાયેલું છે. પરંતુ આખરે આ તમામ સંઘર્ષો જાતિવાદી સામંતશાહી રાજ્ય સામે છે. પેલેસ્ટિનિયનો વસાહતીને લક્ષ્યમાં રાખે છે. કાશ્મીરીઓ તેમની ખાનગી મિલકત પર કબજો કરતા લશ્કરી ક્ષેત્રો તરફ આ ગુસ્સો પ્રદર્શિત કરે છે. આફ્રિકા અને અન્ય સ્થળોએ, નાગરિક વિરોધ સામાન્ય લોકોનો છે, જેને કુદરતી સંસાધનો શોધવા પડે છે. વિક્રાંતની ચિંતાનું કેન્દ્ર એ જોખમી અસ્તિત્વનો સામનો કરી રહેલા મનુષ્યો છે. વિક્રાંત તેમને જાતિ, વર્ગ, ધર્મ, લિંગ અને રોજબરોજના જીવનના આભડછેટમાં દટાયેલા સુંદર અને શણગારની વસ્તુઓ બનાવવા માંગે છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts