દિવાળી અને નૂતન વર્ષના પર્વ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ પાઠવતા સાંસદ અહમદભાઈ પટેલ

 

અમદાવાદ,તા.૧૩
કોંગ્રેસના દિગ્ગજ નેતા સાંસદ અહમદભાઈ પટેલે દિપાવલી, નૂતનવર્ષના પર્વ નિમિત્તે પ્રજાને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. અહમદભાઈ પટેલે જણાવ્યું કે, દીપાવલી પર્વ એ પ્રજા જીવનનું ઉત્સવ રૂપ પ્રતિકાત્મક અને પ્રેરણાદાયી પર્વ છે. ચોતરફ દેશમાં રાગ-દ્વેષ, વેરઝેર, અરાજકતા પ્રવર્તી રહી છે, ઉપરાંત પ્રવર્તમાન સમયમાં કોરોના સંક્રમણની વૈશ્વિક મહામારીને કારણે સર્વત્ર સામાજિક તેમજ આર્થિક કટોકટીની પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે આ કપરો સમય પણ આ પર્વના પ્રભાવમાં શમી જાય અને લોકો સત્વરે સ્વસ્થ તંદુરસ્ત અને ભય મુકત બની રહે તેવી કામના કરી છે. વધુમાં અહમદભાઈ પટેલે પ્રકાશનું આ દીપાવલી પર્વ તમામના જીવનમાં દિવ્યજયોતિની ચેતના પ્રજવલિત કરે અને આમ પ્રજાના જીવનમાં સુખ સમૃદ્ધિ અને ઉન્નતિ આવે તેમજ સમાજમાં સકારાત્મક વિચારધારા સાથે હતાશારૂપી અંધકાર દૂર થઈ જાય અને ઓજસ-તેજસથી સર્વનું આવનારૂં નૂતન વર્ષ સંપન્ન બને તેવી આ તબક્કે સહૃદય શુભેચ્છાઓ પાઠવું છું. સર્વને દિપાવલી પર્વની અને નૂતન વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts