
મૌલાના મઝહરૂલ હક
દેશની આઝાદીના મુસ્લિમ વીરો – મોહમ્મદ થાહા એ
“મેરા દેશ આઝાદ હૈ.”
ભારતે ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ ના રોજ બ્રિટિશ શાસનથી આઝાદી મેળવી હતી, અને તેને હવે ૭૫ વર્ષ થઈ ગયા છે. આ એક મહત્વપૂર્ણ દિવસ હતો. અને આ આઝાદી સંખ્યાબંધ ચળવળો અને સંઘર્ષોનું પરિણામ હતું. આ આંદોલનો ૧૮૫૭ના પ્રખ્યાત બળવાથી શરૂ થયા હા અને બ્રિટિશ વહીવટીતંત્રના સમગ્ર સમયગાળા દરમિયાન અનેક ચળવળ કરવામાં આવી હતી. ગાંધીજી, જવાહરલાલ નહેરુ, વલ્લભાઈ પટેલ, અબ્દુલ ગફાર ખાન, મૌલાના આઝાદ અને અન્ય અગ્રણી વ્યક્તિઓ હતા. પ્રીતિલતા વાડેદાર, કસ્તુરબા ગાંધી, વિજયા લક્ષ્મી પંડિત અને સરોજિની નાયડુ એ મહિલા નાયિકા હતી જેમણે ભારતીય મહિલાઓને સ્વતંત્ર બનવા અને સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
આઝાદીની આ ચળવળમાં મુસ્લિમોએ પણ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. પ્રથમ ભારતીય સ્વતંત્રતા સંગ્રામનું આયોજન અને નેતૃત્વ મૌલવી અહમદુલ્લાહ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. બ્રિટિશ રાજ વિરુદ્ધ કાવતરું ઘડવા બદલ ૨૭ વર્ષની ઉંમરે ફાંસી પર લટકનાર પ્રથમ વ્યક્તિ અશફાકુલ્લા ખાન હતા. શાહ નવાઝ ખાને ઇન્ડિયન નેશનલ આર્મી (INA)માં રાજકારણી ઉપરાંત મુખ્ય અધિકારી અને કમાન્ડર તરીકે સેવા આપી હતી. હાલમાં ભારતીય મુસ્લિમો દેશમાં અનેક ભેદભાવનો સામનો કરી રહ્યા છે અને તેમની દેશભક્તિ પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. કોમવાદી પક્ષો મુસ્લિમોને બાકાત કરીને દેશના ઈતિહાસને ફરીથી લખવાનો પ્રયાસ કરે છે. સોશિયલ મીડિયા દ્વારા ભારતીય મુસ્લિમો વિશે ગેરમાર્ગે દોરનારી માહિતી આપવામાં આવે છે અને મુસ્લિમ વિરોધી પ્રચાર કરવામાં આવે છે. ભારતીય સ્વતંત્રતા માટે તે દરમિયાન મુસ્લિમોએ આપેલા બલિદાનને ખરેખર ભૂલી જવામાં આવ્યા છે. જો કે, ઈતિહાસ જોઈએ તો તે બતાવશે કે ભારતીય મુસલમાનોએ માત્ર મુક્તિ સંગ્રામમાં જ મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું ન હતું, પરંતુ સંસ્થાનવાદ વિરોધી રાષ્ટ્રીય લડાઈની સેવામાં પોતાના જીવનનું બલિદાન પણ આપ્યું હતું. દિલ્હીમાં ઈન્ડિયા ગેટ પર ઉલ્લેખિત ૯૫૩૦૦ સ્વાતંત્ર્ય સેનાનીઓના નામોમાંથી ૬૧૯૪૫ મુસ્લિમ નામો છે, જે દર્શાવે છે કે તમામ મુક્તિ લડવૈયાઓમાંથી ૬૫% લોકો મુસ્લિમ હતા. મિલ્લી ક્રોનિકલના એક લેખના અહેવાલમાં પ્રસિદ્ધ લેખક કુશવંતસિંહે કહ્યું છે કેઃ ભારતીય સ્વતંત્રતા મુસ્લિમોના લોહી પર લખાયેલ છે, સ્વતંત્રતા સંગ્રામમાં તેમની ભાગીદારી તેમની વસ્તીની નાની ટકાવારીના પ્રમાણમાં ઘણી વધારે હતી. આ લેખનો હેતુ અમુક મુસ્લિમ સ્વતંત્રતા નાયકો પર નજર કરવાનો છે જેઓ આજના ઇતિહાસમાં વિલીન થઈ ગયા છે અને તેઓને દેશના બલિદાન માટે ક્યારેય યાદ કરવામાં આવતા નથી.
મૌલાના મઝહરૂલ હક
મૌલાના મઝહરૂલ હકનો જન્મ ૨૨ ડિસેમ્બર, ૧૮૬૬ના રોજ બિહાર જિલ્લામાં પટનામાં થયો હતો, તેઓ ૧૮૯૭ના દુષ્કાળ દરમિયાન તેમના માનવતાવાદી પ્રયાસો માટે જાણીતા હતા. તેઓએ પોતાના ઘરે તેમનું આદિમ શિક્ષણ એક મૌલવી પાસેથી મેળવ્યું હતું. ૧૮૮૬માં, તે પટના કોલેજિયેટમાંથી સ્નાતક થયા. ત્યાર બાદ તેઓ વધુ અભ્યાસ માટે લખનૌ ગયા અને કેન્ની કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો. જો કે, તે કાનૂની શિક્ષણ મેળવવા માટે ૧૮૮૬ માં ઇંગ્લેન્ડ ગયા હતા. બારની પરીક્ષા પૂર્ણ કર્યા પછી, તેઓ ૧૮૯૧માં ભારત પાછા ફર્યા અને પટનામાં તેમની કાનૂની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેઓ તેમના મિત્ર વિલમ બાર્કેટની ભલામણ પર મુન્સિફ તરીકે ન્યાયિક શાખાના સભ્ય બન્યા હતા. જો કે, જિલ્લા અને સત્ર ન્યાયાધીશ સાથેના મતભેદને કારણે, તેમણે આ કામ અચાનક છોડી દીધું અને છાપરા ખાતે કામ કરવાનું શરૂ કર્યું હતું.
૧૯૦૬માં, તેઓ કાયદાની પ્રેક્ટિસ કરવા પટના પાછા ફર્યા હતા. તેમણે મુક્તિની લડતમાં ભાગ લેવાનું શરૂ કર્યું અને બિહાર કોંગ્રેસ સમિતિના ઉપાધ્યક્ષના પદ સુધી પહોંચ્યા હતા. તેમણે ચંપારણ સત્યાગ્રહ, ખિલાફત અને અસહકાર ચળવળોની સફળતામાં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. જાન્યુઆરી ૧૯૩૦માં તેમના મૃત્યુ પહેલાં, તેમણે શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે તેમની તમામ મિલકત દાનમાં આપી દીધી હતી.
(સૌ. : ઈસ્લામ ઓન લેબ.કોમ)