મોસ્કો કોન્સર્ટ હોલ હુમલા દરમિયાન અનેક લોકોના જીવ બચાવનાર ૧૫ વર્ષના ઈસ્લામ ખલીલોવને બહાદુરી માટે મુસ્લિમ મેડલ એનાયત

રશિયન ફેડરેશનના મુસ્લિમોના ધાર્મિક વહીવટીતંત્રના અધ્યક્ષ અને રશિયાના મુફ્તીઓની કાઉન્સિલના અધ્યક્ષ રવીલગાયનુતદ્દીન ૧૫ વર્ષના ઇસ્લામ ખલીલોવ (આર)ને સેવા ચંદ્રક અર્પણ કર્યો હતો કે જેણે કોન્સર્ટ હોલમાં ગોળીબારના હુમલા દરમિયાન ૧૦૦થી વધુ લોકોને બચાવ્યા હતા.

ઇસ્લામ ખલીલોવે ૨૨ માર્ચના આતંકવાદી હુમલા દરમિયાન દરવાજા
ખોલ્યા હતા અને લોકોને બહાર નીકળવાના રસ્તાઓ બતાવ્યા હતા

(એજન્સી) મોસ્કો, તા.૩૦
રશિયન ફેડરેશનના મુસ્લિમોના ધાર્મિક વહીવટીતંત્ર અને રશિયાના મુફ્તીની કાઉન્સિલ દ્વારા મંગળવારે ૧૫ વર્ષના યુવક ઇસ્લામ ખલીલોવને મેડલ એનાયત કરવામાં આવ્યો હતો જેણે મોસ્કો ક્ષેત્રમાં ક્રોકસ સિટી કોન્સર્ટ હોલ પર ગયા અઠવાડિયે થયેલા હુમલા દરમિયાન ડઝનેક લોકોના જીવ બચાવ્યા હતા. મોસ્કો કેથેડ્રલ મસ્જિદમાં શુક્રવારની નમાઝ પહેલાં યોજાયેલા સમારોહ દરમિયાન, ખલીલોવને તેની બહાદુરી માટે રશિયાના મુસ્લિમોની સેવા માટે મેડલ આપવામાં આવ્યો હતો. ધાર્મિક સંગઠનના અધ્યક્ષ રવિલ ગાયનુતદ્દીન દ્વારા આ ચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે, હું જાણું છું કે જે બન્યું તે તમારા હૃદયમાં આખી જિંદગી એક જખમ બનીને રહેશે. પણ તમે જે કર્યું તે પણ તમારી સ્મૃતિમાં રહેશે, પરંતુ સૌથી મહત્ત્વની બાબત એ છે કે આ આપણા સમગ્ર સમાજની, આપણા સમગ્ર લોકોની યાદમાં છે. અમારા રાષ્ટ્રપતિ, અમારા રશિયન લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરનારા તમામ લોકોની યાદમાં છે.
ઇસ્લામ ખલીલોવને કોન્સર્ટ હોલમાંથી લોકોના મોટા ટોળાને દોડતા જોયા ત્યારે ખલીલોવે દરવાજા ખોલ્યા અને બહાર નીકળવાની દિશાઓ આપી હતી. ગેનુતદિને કહ્યું કે તે ખલીલોવના સાથીદાર આર્ટીઓમડોન્સકોવને પણ મેડલ આપશે, જે રશિયન ઓર્થોડોક્સ છે, જેમણે હુમલા દરમિયાન ઘણા લોકોને કોન્સર્ટ હોલમાંથી બહાર નીકળવામાં મદદ કરી હતી અને આ રીતે તેમનો જીવ બચાવ્યો હતો. ખલીલોવ અને ડોન્સકોવ બંને કોન્સર્ટ હોલના કપડા વિભાગમાં કામ કરતા હતા અને બંને મિત્રો છે. આ અઠવાડિયાની શરૂઆતમાં બાળકોના અધિકારો માટેના રશિયાના કમિશનર દ્વારા તેઓને બહાદુરી માટે મેડલ એનાયત કરવામાં આવ્યા હતા.
મોસ્કો ક્ષેત્રના શહેર ક્રાસ્નોગોર્સ્કમાં ૨૨ માર્ચે બંદૂકધારીઓએ પ્લેહાઉસમાં લોકો પર ગોળીબાર કર્યો હતો. પરિણામે ઓછામાં ઓછા ૧૪૪ લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે ચાર લોકો પર આતંકવાદનો આરોપ મૂકવામાં આવ્યો છે.

મોસ્કો કોન્સર્ટ હોલ હુમલા દરમિયાન

લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરનારા તમામ લોકોની યાદમાં છે. ઇસ્લામ ખલીલોવને કોન્સર્ટ હોલમાંથી લોકોના મોટા ટોળાને દોડતા જોયા ત્યારે ખલીલોવે દરવાજા ખોલ્યા અને બહાર નીકળવાની દિશાઓ આપી હતી. ગેનુતદિને કહ્યું કે તે ખલીલોવના સાથીદાર આર્ટીઓમડોન્સકોવને પણ મેડલ આપશે, જે રશિયન ઓર્થોડોક્સ છે, જેમણે હુમલા દરમિયાન ઘણા લોકોને કોન્સર્ટ હોલમાંથી બહાર નીકળવામાં મદદ કરી હતી અને આ રીતે તેમનો જીવ બચાવ્યો હતો. ખલીલોવ અને ડોન્સકોવ બંને કોન્સર્ટ હોલના કપડા વિભાગમાં કામ કરતા હતા અને બંને મિત્રો છે. આ અઠવાડિયાની શરૂઆતમાં બાળકોના અધિકારો માટેના રશિયાના કમિશનર દ્વારા તેઓને બહાદુરી માટે મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. મોસ્કો ક્ષેત્રના શહેર ક્રાસ્નોગોર્સ્કમાં ૨૨ માર્ચે બંદૂકધારીઓએ પ્લેહાઉસમાં લોકો પર ગોળીબાર કર્યો હતો. પરિણામે ઓછામાં ઓછા ૧૪૪ લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે ચાર લોકો પર આતંકવાદનો આરોપ મૂકવામાં આવ્યો છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts