યુનિસેફ : ગાઝાની અડધાથી વધુ શાળાઓ પર ઇઝરાયેલ દ્વારા બોમ્બમારો

(એજન્સી) નવી દિલ્હી, તા.૧૩
યુનાઈટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડ (યુનિસેફ) એ જણાવ્યું છે કે, પટ્ટીમાં શાળાઓ અને આશ્રયસ્થાનોની સલામતી અંગે તાકીદની ચિંતાઓ ઊભી કરીને ગાઝામાં વિસ્થાપિત પેલેસ્ટીનીઓની ૫૦ ટકાથી વધુ શાળાઓ પર ઈઝરાયેલી કબજેદાર દળો દ્વારા બોમ્બમારો કરવામાં આવ્યો છે. શનિવારના રોજ જારી કરાયેલા એક નિવેદનમાં, યુનિસેફે અલ-તાબેઈન સ્કૂલ પર ઈઝરાયેલી સેનાના બોમ્બ ધડાકાની નિંદા કરી, જેના પરિણામે ૧૦૦થી વધુ લોકોનાં મોત અને ડઝનેક લોકો ઘાયલ થયા. તેણે હુમલાને ભયંકર ગણાવ્યું અનેે નોંધ્યું કે,તેણે એવા સ્થાનને નિશાન બનાવ્યું હતું જ્યાં બાળકો અને પરિવારો માને છે કે તેઓ સુરક્ષિત છે.
યુનિસેફે ટિ્‌વટર પર એક નિવેદનમાં જણાવ્યું હતું, આજે સવારે ગાઝાની એક શાળા પર વિસ્થાપિત લોકોને આશ્રય આપતા બીજા હુમલાના ભયાનક અહેવાલો, જ્યાં બાળકો સુરક્ષિત હોવાનું માનવામાં આવતું હતું, ત્યાં માર્યા ગયા અને ઘાયલ થયા.
સંસ્થાએ શાળાઓ અને આશ્રયસ્થાનોને સુરક્ષિત રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો, જાહેર કર્યુંઃ શાળાઓ અને આશ્રયસ્થાનો પર હુમલો થવો જોઈએ નહીં. બાળકોને સુરક્ષિત રાખવાની જરૂર છે. યુનિસેફે એ પણ પ્રકાશિત કર્યું કે છેલ્લાં દસ મહિનામાં, ગાઝામાં આશ્રયસ્થાનો તરીકે ઉપયોગમાં લેવાતી અડધાથી વધુ શાળાઓ પર સીધો બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યો છે, જેના પરિણામે બાળકો અને પરિવારો માટે ગંભીર પરિણામો આવ્યા છે. શનિવારની શરૂઆતમાં, ઇઝરાયેલી દળોએ ગાઝા પર ઘાતક હુમલો કર્યો, જેમાં ૧૦૦થી વધુ પેલેસ્ટીનીઓ માર્યા ગયા અને ડઝનેક વધુ ઘાયલ થયા. આ હુમલો ગાઝા શહેરના અલ-દરાજ પડોશમાં અલ-તાબેઈન સ્કૂલની અંદર સવારની પ્રાર્થના દરમિયાન વિસ્થાપિત લોકોને નિશાન બનાવવામાં આવ્યો હતો. ઇઝરાયેલી કબજેદાર સેનાએ દાવો કર્યો હતો કે તેણે હુમલા દરમિયાન હમાસ અને ઇસ્લામિક જેહાદના ૧૯ લડવૈયાઓને માર્યા હતા, પરંતુ જૂથોએ આ વાતનો સખત ઇન્કાર કર્યો છે. આ સાથે છેલ્લાં એક સપ્તાહમાં ઈઝરાયેલ દ્વારા હુમલો કરવામાં આવેલા આશ્રય સ્થાનોની સંખ્યા છ સુધી પહોચી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts