રાંચી વોર્ડ ૭ : ડ્રેનેજ, પાણી, રસ્તા અને સલામતીના મુદ્દે આદિવાસી અને દલિત વસાહતોના હાલ બેહાલ

(એજન્સી) રાંચી, તા.૭
વોર્ડ નંબર-૭, જેમાં મુખ્યત્વે અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિનો સમાવેશ થાય છે, તે ડ્રેનેજ ભંગાણ, પીવાના પાણીની સમસ્યા, ખાડાવાળા રસ્તાઓ, બિન-કાર્યક્ષમ સ્ટ્રીટલાઇટથી પીડાય છે જે સાંજ પછી ડ્રગ વ્યસનીઓ માટે સલામત આશ્રયસ્થાન પૂરૂં પાડે છે. લોહરા ટોલી નાયક કોલોની, ખોરાટોલી, સદન મોહલ્લા, હોતવાર, ખટાલ અને મહુઆટોલી એવા વિસ્તારો છે જે આ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. લોરહા ટોલીના રહેવાસી મહાવીર લોહરાએ જણાવ્યું હતું કે, “સાંજે ડ્રગ્સ લેવા માટે વિસ્તારમાં ભેગા થતા યુવાનોના કિસ્સાઓ નિયમિતપણે નોંધાય છે. સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી, પરંતુ બદમાશો, જે પૈકી મોટાભાગના કિશોરો હોય છે તેમણે ચેતવણી અને પગ પર માર મારીને છોડી દેવામાં આવે છે.” પૂર્વ વોર્ડ કાઉન્સિલર સુજાતા કાચપે જણાવ્યું હતું કે, “ડ્રગ વ્યસનીઓ એવા વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટને નુકસાન પહોંચાડે છે જ્યાં તેઓ અસામાજિક અથવા ગુનાહિત પ્રવૃત્તિઓનો આશરો લે છે. થાંભલા ઊભા કરવામાં આવ્યા છે પરંતુ આનંદ સ્મૃતિ નગર, ન્યુ બિરસા નગર અને પહાણ ટોલામાં સ્ટ્રીટ લાઇટ નથી.” તેમણે જણાવ્યું હતું કે, એક દાયકા પહેલા તેમની વસાહતોમાં પાકા રસ્તાઓ નાખવામાં આવ્યા હતા, પરંતુ જાળવણીના અભાવે ઘણા વિસ્તારોમાં ખાડા પડી ગયા છે. સ્થાનિક લોકોએ ઉમેર્યું હતું કે,વધુમાં, સંબંધિત એજન્સી પીવાના પાણીની પાઇપલાઇન નાખ્યા પછી ખાડા પૂરવામાં આળસ કરે છે જેના કારણે રસ્તાઓ અવર જવર કરનારાઓ માટે જોખમી બની જાય છે. બીના દેવીએ જણાવ્યું હતું કે, “જાહેર સેવાઓની જાળવણી નબળી છે. સ્થાનિક લોકોએ ફાળો ઉઘરવી આપ્યાના સાત દિવસ પછી ઊંડા બોરવેલનું સમારકામ થયું.” અન્ય એક વિસ્તારના રહેવાસીએ જણાવ્યું હતું કે જો પીવાના પાણીનો પુરવઠો ખોરવાઈ જાય છે, તો સુવિધાઓને સુધારવામાં લગભગ ૧૦ દિવસ લાગે છે. વોર્ડમાં ફક્ત એક જ શાળા છે અને જાહેર શૌચાલય નથી. ગટરનું પાણી અને ગટર રસ્તાઓ પર ઓવરફ્લો થાય છે. ખેલગાંવ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ઓફિસર ચંદ્રશેખર સિંહે જણાવ્યું હતું કે, ‘જ્યારે પણ અમને ફરિયાદ મળે છે ત્યારે અમે ડ્રગ્સના દુરૂપયોગ અને તેના સંબંધિત કેસોમાં કાર્યવાહી કરીએ છીએ. વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવે છે.’

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts