વસાહતીઓ દ્વારા વારંવાર કરવામાં આવેલા હુમલાઓ બાદ જેરીકો નજીક ૨૦ પેલેસ્ટીનની પરિવારોએ ઘર છોડી દીધા

(એજન્સી) તા.૨૨
મંગળવારે બેદુઈન રાઈટ્‌સના સંરક્ષણ માટે અલ-બૈદરે જણાવ્યું કે, ઇઝરાયેલી વસાહતીઓ દ્વારા વારંવાર કરવામાં આવેલા હુમલાઓને કારણે જેરીકોની ઉત્તરે આવેલા શલાલ અલ-ઔજા સમુદાયમાં ૨૦ પેલેસ્ટીન પરિવારોને તેમના ઘર છોડીને બીજા વિસ્તારમાં જવાની ફરજ પડી છે.સંગઠને અહેવાલ આપ્યો છે કે, આ પરિવારો અઝ-ઝાયદ જાતિના છે, જે કબજાવાળા વેસ્ટ બેંકમા અને જોર્ડન ખીણમાં બાકી રહેલા થોડા બેદુઈન સમુદાયોમાંનો એક છે. સંગઠને વધુમાં જણાવ્યું કે, વસાહતી નીતિઓ તેમજ પાણી અને જમીનની મર્યાદિત પહોંચને કારણે તેમની આજીવિકા જોખમમાં છે.પેલેસ્ટીની સમાચાર એજન્સી વાફા અનુસાર, તાજેતરના મહિનાઓમાં વસાહતીઓ દ્વારા આદિજાતિ પર હુમલાઓમાં વધારો થયો છે, જેમાં ધમકીઓ ગોચરમાં પ્રવેશનો ઇનકાર અને મિલકતોની તોડફોડનો સમાવેશ થાય છે.અલ-બૈદરે જણાવ્યું કે, વસાહતીઓની ક્રિયાઓ “જોર્ડન ખીણમાંથી સ્વદેશી પેલેસ્ટીનીઓને વિસ્થાપિત કરવા અને વસાહતી વસાહત બાંધકામ માટે જગ્યા બનાવવા માટે તેમની જમીન કબજે કરવાની સુનિયોજિત યોજનાનો અભિન્ન ભાગ છે.” પૂર્વ જેરૂસલેમને બાદ કરતાં જેના પર ઇઝરાયેલે ૧૯૬૭માં કબજો કર્યો હતો અને તેને પોતાની સાથે જોડી દીધો હતો, વેસ્ટ બેંક આશરે ૩ મિલિયન પેલેસ્ટીનીઓ અને ૫,૦૦,૦૦૦ ઇઝરાયેલી વસાહતીઓનું ઘર છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts