શહેરના સીમકાર્ડ વિક્રેતા અને પીસીઓ ધારકોને ઓળખ રહેઠાણના પુરાવા જાળવવા સૂચના

અમદાવાદ, તા.૧૬
અસામાજિક તત્ત્વો તથા ગુનાહિત કૃત્ય કરનારાઓ મોબાઈલ ફોન કે એસટીડી/પીસીઓ દ્વારા સંપર્કમાં રહી શહેરની શાંતિ, સલામતી અને સુરક્ષાને ખલેલ પહોંચાડે છે. આ બાબત ધ્યાને આવતા અમદાવાદ શહેર પોલીસ કમિશનરે કાયદો અને વ્યવસ્થાની જાળવણીના હેતુસર મોબાઈલ ફોનના સીમકાર્ડ વિક્રેતાઓ અને એસટીડી/પીસીઓ ધારકો માટે જરૂરી સૂચનો ફરમાવ્યા છે. જે તા.૬/૨/૧૮ સુધી અમલમાં રહેશે. જેમાં મોબાઈલ ફોનના સીમકાર્ડ લેતી વખતે ખરીદનાર વ્યક્તિના માન્ય ઓળખપત્ર તથા રહેઠાણના દસ્તાવેજો ડિસ્ટ્રીબ્યુટર/રીટેલર વિક્રેતાઓએ બરાબર ચકાસવા તથા પુરાવાઓની ઝેરોક્ષ રાખવી. આ ઉપરાંત તે અંગેનું નામ-સરનામા, પુરાવાની માહિતીનું રજિસ્ટર રાખવું તથા એસટીડી/પીસીઓ ધારકોએ કોલરની આઈડેન્ટી ચકાસવા તેમજ કોલ ડિટેઈલના નામ-સરનામાની માહિતી અંગેના રજિસ્ટરો ત્રણ વર્ષ સુધી નિભાવવાના રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી કરાશે તેમ પણ વધુમાં જણાવ્યું છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks