વિશ્વાસપાત્ર ન હોય તેવા માણસના કથનોને ઉચ્ચારશો નહીં કારણ કે જો તમે માત્ર કથિત સમાચાર કહેશો તો તમે જૂઠા કહેવાશો. (હદીસ બોધ)
બોધ વચન
સર્જનહાર શાંતિ જ ઈચ્છે છે અને સર્જનહારની ઈચ્છાનુસાર ચાલવું માનવીનું પરમ કર્તવ્ય છે.- ટોલસ્ટોય
આજની આરસી
૨૪ નવેમ્બર રવિવાર ર૦૨૪
૨૧ જમાદિલ અવ્વલ હિજરી ૧૪૪૬ કારતક વદ નોમ સંવત ૨૦૮૧
સુબ્હ સાદિક ૫-૩૬
ખત્મે ઝવાલ ૧૨-૨૬
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૬-૫૯
ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૫-૫૩
વિશ્વપ્રસિદ્ધ વિદ્વાન શાયર ‘અલ્લામા ઈકબાલ’ કોઈ પરિચયના મોહતાજ નથી… એમણે દાયકાઓ પહેલાં જે લખ્યું છે એ આજે પણ એટલું જ પ્રાસંગિક છે ત્યારે તેમની ફિલસુફીથી છલોછલ એવી ઈલ્મી રચનાઓને અહીં સરળ ગુજરાતીમાં ભાવાનુવાદ સાથે સમજાવવાનો પ્રયાસ કર્યો છે.
અલ્લામા મુહમ્મદ ઈકબાલની શાયરી /ભાવાનુવાદ
નહીં તેરા નશેમન કસ્ર-એ-સુલતાની કે ગુંબદ પર,
તૂ શાહીં હૈ બસેરા કર પહાડોંકી ચટ્ટાનોમેં
તારો આશરો, રાહત લેવાનું ઠેકાણું કોઈ મહેલના ગુંબજ પર નથી, તું શાહીન છે, પર્વતોની ટોચ તારૂં ઠેકાણું છે. યુવાનોને સંબોધન છે કે એશ-ઓ-આરામની જિંદગી ન જીવો, સખત મહેનત કરો અને જિંદગીમાં કશુંક હાંસલ કરો. હંમેશા ઊંચા આચાર-વિચાર અને ઊંચું લક્ષ્ય રાખો.-(ભાવાનુવાદ કર્તા અલ્તાફહુસૈન સૈયદ)