(એજન્સી) તા.૨૩
ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુના કાર્યાલયનું કહેવું છે કે, શનિવાર માટે આયોજિત પેલેસ્ટીની કેદીઓની મુક્તિને ‘જ્યાં સુધી આગામી બંધકોની મુક્તિની બાંયધરી આપવામાં ન આવે અને અપમાનજનક વિધિઓ વિના’ અટકાવવામાં આવી છે. અગાઉ હમાસે જણાવ્યું કે, ‘સંમત સમયે’ પેલેસ્ટીનીઓની સાતમી બેચને મુક્ત કરવામાં ઇઝરાયેલનો વિલંબ એ યુદ્ધવિરામ કરારનું સ્પષ્ટ ઉલ્લંઘન હતું.
હમાસ દ્વારા યુદ્ધવિરામ કરારના પ્રથમ તબક્કામાં મુક્તિ માટે નિર્ધારિત છ જીવિત ઇઝરાયેલી અટકાયતીઓને મુક્ત કર્યા પછી ઇઝરાયેલી વિરોધીઓએ તેલ અવીવમાં રેલી કાઢી, બાકીના તમામ અટકાયતીઓને પરત કરવાની માગણી કરી.
ગાઝાના આરોગ્ય મંત્રાલયે ૪૮,૩૧૯ પેલેસ્ટીનીઓના મૃત્યુની ખાતરી કરી છે, જ્યારે ગાઝા પર ઇઝરાયેલના યુદ્ધમાં ૧,૧૧,૭૪૯ ઘાયલ થયા છે. સરકારી મીડિયા ઓફિસે તેના મૃત્યુઆંકને ઓછામાં ઓછા ૬૧,૭૦૯ સુધી અપડેટ કર્યો, જણાવ્યું કે, કાટમાળ હેઠળ ગુમ થયેલા હજારો પેલેસ્ટીનીઓના મૃત્યુની આશંકા છે. ૭ ઓકટોબર, ૨૦૨૩ના રોજ હમાસની આગેવાની હેઠળના હુમલા દરમિયાન ઇઝરાયેલમાં ઓછામાં ઓછા ૧૧૩૯ લોકો મૃત્યુ પામ્યા અને ૨૦૦થી વધુને બંદી બનાવી લેવામાં આવ્યા હતા.