હરિયાણાની ખટ્ટર સરકારથી નારાજ ૧ર૦ દલિતોએ કર્યું ધર્મ પરિવર્તન

(એજન્સી) ચંદીગઢ, તા.૪
હરિયાણાની મનોહરલાલ ખટ્ટર સરકારથી રોષે ભરાયેલા ૧ર૦ દલિતોએ ધર્મપરિવર્તન કરી બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો છે. સરકાર વિરૂદ્ધ ૧૧૩ દિવસ સુધી પ્રદર્શન કર્યા બાદ પણ કોઈ ઉકેલ ન મળતા તેમણે આ પગલું લીધું હતું. ધર્મ પરિવર્તનની આ ઘટના ચોક્કસપણે ખટ્ટર સરકાર માટે આંચકા રૂપ છે. અહેવાલો મુજબ હરિયાણાના મંત્રીઓનું કહેવું છે કે લોકો કોઈપણ કારણ વિના ધર્મ પરિવર્તનો નિર્ણય લેવા સ્વતંત્ર છે. આ પહેલાં જાટ સમુદાય પણ મનોહરલાલ ખટ્ટરના નેતૃત્વવાળી ભાજપ સરકાર વિરૂદ્ધ આંદોલન કરી ચૂક્યો છે. જાટ નેતાઓએ પણ ધમકી આપી હતી કે રાજ્યમાં ચૂંટણી પહેલાં ભાજપની કોઈ રેલી થવા નહીં દે. આ મુદ્દે વિપક્ષે ભાજપની ટીકા કરતાં કહ્યું કે દલિત અને અન્ય સમુદાયોને અણી પર રાખવા ભાજપની નીતિ છે અને તે કારણોસર તે સરકારથી ખુશ નથી. દલિત નેતા દિનેશ ખાપડે જણાવ્યું કે, ૭ માર્ચથી સરકાર સામે માગણીઓ રજૂ કરવામાં આવી છે. આગામી ૧૦-૧પ દિવસોમાં માંગ પૂરી નહીં થાય તો ર૦ મેના રોજ વધુ દલિતો બૌદ્ધ ધર્મ અપનાવશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts