(એજન્સી) હૈદરાબાદ, તા.૨૧
હૈદરાબાદના મિયાપુરમાં ૧૯ વર્ષીય NEET પરીક્ષા આપનાર વિદ્યાર્થીનું કથિત રીતે આત્મહત્યા દ્વારા મૃત્યુ થયું છે, પોલીસે રવિવાર, જણાવ્યું હતું. શેખ સના તરીકે ઓળખાતી વિદ્યાર્થિની તેની બહેનો સાથે એક એપાર્ટમેન્ટમાં રહેતી હતી. પ્રાથમિક તપાસના આધારે તેણીનું શનિવારે ફાંસી લગાવીને મૃત્યુ થયું હોવાનું એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. તેના પિતા, શેખ જાફર હુસૈન, કુવૈતમાં કામ કરતા હોવાનું કહેવાય છે, જ્યારે તેની માતા લગભગ ૧૦ દિવસ પહેલા પ્રોદ્દાતુર ગઈ હતી. પોલીસને મૃતક દ્વારા લખેલી એક નોંધ મળી છે, જેમાં તેણીએ કહ્યું હતું કે “તેના મૃત્યુ માટે કોઈ જવાબદાર નથી”. પોલીસને શંકા છે કે તેણીનું મૃત્યુ રવિવારે NEET પુનઃપરીક્ષાના “દબાણ” સહન ન કરી શકવાથી આત્મહત્યા દ્વારા થયું છે.
Facebook
0
Twitter
0