૪પ કરોડની ગ્રાન્ટનો વેડફાટ કરાયાનો નગરસેવક લાખાજીવાલાનો આક્ષેપ

વડોદરા, તા.૨૩
રાજ્ય સરકાર તથા સ્વર્ણિમ ગુજરાત અંતર્ગત વડોદરા શહેરના વિવિધ રોડ રસ્તા બનાવવા આપવામાં આવેલી ૪૫ કરોડની ગ્રાન્ટ કોન્ટ્રાકટર દ્વારા ખોટી રીતે વેડફી નાખી શહેરનાં રોડ-રસ્તાઓની હાલત જેસે થે વેસે હોવાનો આક્ષેપ કોંગ્રેસનાં કાઉન્સીલર ગુલામફરીદ લાખાજીવાલા (કટપીસવાલા)એ કરી મેયરને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી. કોંગી કાઉન્સીલર ગુલામફરીદ લાખાજીવાલા (કટપીસવાલા)એ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, ૨૦૧૭-૧૮માં રાજ્ય સરકાર તરફથી રી-સરફેસીંગનાં કામો માટે ૪૫ કરોડની ગ્રાન્ટ વડોદરા મ્યુનિસીપલ કોર્પોરેશનને આપવામાં આવી હતી. જે ગ્રાન્ટમાંથી બનેલા નવીન રોડ-રસ્તા બનાવવામાં ગેરરીતિઓ થઇ છે. વિવિધ રોડ-રસ્તાઓ સારા હતા ત્યાં પણ ફરીથી બનાવી ગ્રાન્ટનાં પૈસાનો વેડફાટ કરવામાં આવ્યો છે. તેમજ અન્ય નવીન બનાવેલા રસ્તાઓ થોડા સમયમાં જ ફરીથી જર્જરીત બની ગયા છે. જે અંગે આર.ટી.આઇ. કરતાં તેમાં પણ આ માહિતી મળી હતી. આ અંગે કાઉન્સીલર ગુલામફરીદ કટપીસવાલાએ મેયરને આવેદનપત્ર આપી આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા રજુઆત કરી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks