ભાવનગર આરટીઓ કચેરીમાં બુલેટ કૌભાંડ, ૬ કર્મચારી સસ્પેન્ડ

ભાવનગર, તા.૩૧
ભાવનગર આરટીઓ કચેરીમાં બુલેટ કૌભાંડ બહાર આવ્યું છે. જેમાં બુલેટની કિંમત ઓછી દર્શાવી ટેક્સ ચોરીનો ભાંડાફોડ થતાં આરટીઓ કમિશનર પણ ચોકી ગયા હતા. હાલ આ કિસ્સામાં કર્મચારી બી.કે. બોરીચા, કે.કે. મહેતા, એમ.જે. ગાંધી, એમ.એન. રાઠોડ, એન.એ. પટેલને સસ્પેન્ડ કરી અનુક્રમે પોરબંદર, જામનગર, મોરબી, ગીર-સોમનાથ અને અમરેલી બદલી કરી દેવાઈ છે. ભાવનગરની આરટીઓ કચેરીમાં બુલેટ કૌભાંડનો પર્દાફાશ થતાં આ કૌભાંડમાં સંડોવાયેલા હજુ કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓના પગ નીચે રેલો આવે તેવી પણ ચર્ચાઓ ચાલી રહી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts