Gujarat

એ.એસ.આઈ.એ ઘરેલું સમસ્યાને લઈ અગ્નિસ્નાન કરી મોત વ્હાલુ કર્યું

(સંવાદદાતા દ્વારા) વડોદરા,તા.૧૬
કાર્ય બોજ તેમજ ઘરેલું સમસ્યાને કારણે માનસિક ડીપ્રેશનમાં આવી ગયેલા પોલીસ વિભાગમાં નોકરી કરતા આસીસ્ટન્ટ સબ ઇન્સ્પેકટર (એ.એસ.આઇ.) હસમુખ પરમારે અગ્નિસ્નાન કરી લેતા તેમનું ખાનગી હોસ્પીટલમાં સારવાર દરમ્યાન આજે સવારે મોત નિપજ્યું હતું.
બનાવની વિગત એવી છે કે હરણી સ્વાદ કવાટર્સમાં રહેતા અને સયાજીગંજ પોલીસ મથકમાં એએસઆઇ તરીકે નોકરી કરતા હસમુખભાઇ પરમાર (ઉ.વ.૫૬) નોકરી પરનો કાર્યબોજ તેમજ ઘરેલું કેટલીક સમસ્યાને લઇને તેઓ માનસીક ડીપ્રેશનમાં રહેતા હતા. તેઓ ત્રણ દિવસથી માંદગીની રજા ઉપર હતા. માનસીક તાણથી આવેશમાં આવી મકાનની અગાસી પર પહોંચ્યા પોતાની જાતેજ શરીર પર કેરોસીન છાંટી અગ્નિસ્નાન કરી લીધું હતું.
અગ્નિસ્નાનમાં દાઝેલા હસમુખભાઇને સારવાર માટે સયાજી હોસ્પીટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર અપાવ્યા બાદ તેમને ખાનગી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું આજે વહેલી સવારે મોત નિપજ્યું હતું. વારસીયા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
GujaratHarmony

કોમી એકતા અને ભાઈચારાને ઉજાગર કરતી ઘટનાસુરેન્દ્રનગરમાં હિન્દુ પરિવારે મુસ્લિમ યુવતીનો ઉછેર કરી ધામધૂમથી નિકાહ કરાવ્યા

સુહાના એક મહિનાની હતી ત્યારે તેણે…
Read more
Gujarat

ભાજપના પૂર્વ કેબિનેટ મંત્રી ચાવડાનો સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ઈશારો : વીડિયો વાયરલ

ગુજરાત ભાજપમાં ફરી એકવાર નવા-જૂન…
Read more
Crime DiaryGujarat

રાજકોટનો ગેમઝોન ભયંકર આગમાં બન્યો મોતનો ઝોન : ર૮નાં કરૂણ મોત

માત્ર એક કલાકમાં જ ર૪ જેટલા મૃતદેહો…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.