National

કર્ણાટક સરકારે અભ્યાસક્રમમાંથી હૈદરઅલી અને ટીપુ સુલ્તાનના પ્રકરણો દૂર કરતાં વિવાદ ઊભો થયો

 

(એજન્સી)   બેંગલુરૂ, તા.ર૮

કર્ણાટક સરકારે રાજ્ય બોર્ડની શાળાઓનો અભ્યાસક્રમ ઓછો કર્યો છે. આ અભ્યાસક્રમને ૧ર૦ વર્કિંગ ડે પ્રમાણે તૈયાર કરવામાં આવ્યો છે. ૩૦ ટકા ઘટાડો કરી તૈયાર કરવામાં આવેલા આ અભ્યાસક્રમમાંથી ટીપુ સુલ્તાન અને હૈદરઅલીના પ્રકરણો દૂર કરવામાં આવ્યા છે.  આગામી સોમવારે કર્ણાટક ટેક્સ્ટ બુક સોસાયટીની વેબસાઈટ પર આ નવો અભ્યાસક્રમ અપલોડ કરવામાં આવશે. હવે અભ્યાસક્રમમાંથી ટીપુ સુલ્તાનના પ્રકરણને હટાવવા મુદ્દે વિવાદ ઊભો થયો છે. બીજી તરફ અધિકારીઓનું કહેવું છે કે આ અભ્યાસક્રમમાં મહત્ત્વપૂર્ણ મુદ્દાઓનું ધ્યાન રાખવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ભાજપે પહેલા જ આ જાહેરાત કરી હતી કે અભ્યાસક્રમમાંથી ટીપુ સુલ્તાનના પ્રકરણને દૂર કરવામાં આવશે. નોંધનીય છે કે ધો.૭ના પાઠ્યપુસ્તકમાં હૈદરઅલી અને ટીપુ સુલ્તાનના પ્રકરણો સામેલ હતા પરંતુ હવે બંને પ્રકરણો હટાવી લેવામાં આવ્યા છે. આ અંગે કેટીબીએસના નિર્દેશક મેડ ગૌડાએ કહ્યું હતું કે વિષય નિષ્ણાંતોએ આ અભ્યાસક્રમમાં ફેરફાર કર્યો છે. અમે નિષ્ણાંતોના કામમાં દખલગીરી કરી શકતા નથી. અમે તેમને કોઈપણ પ્રકારનું સૂચન પણ આપી શકતા નથી.

 

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
NationalPolitics

કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તન ? ઝઘડતા નેતાઓ પર લગામ લગાવતી કોંગ્રેસની ટોચની નેતાગીરી

શાસક કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તન થઈ…
Read more
AhmedabadNational

રતન તાતાના મૃત્યુના સમાચારથી મુંબઈ, અમદાવાદમાંગરબા કાર્યક્રમો અટકાવી દેવાયા હતા

(એજન્સી) તા.૧૦દિગ્ગજ ઉદ્યોગપતિ રતન…
Read more
NationalPolitics

અરવિંદ કેજરીવાલ ૪૮ કલાકની અંદર દિલ્હીના મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપશે : સુપ્રીમ કોર્ટના પ્રતિબંધો અને કોર્ટનીલાંબી લડાઈ અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, મારૂં ભાગ્ય મતદારોના હાથમાં છે, દિલ્હીમાં વહેલી ચૂંટણીની હાકલ કરી

કેજરીવાલે કહ્યું છે કે, દિલ્હીમાં…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.